સરદાર પટેલના પ્રેરક પ્રસંગો 2
(’સરદાર’ મુવીમાંથી લીધેલ અંશો)
======== * 1 * ========
અંગ્રેજો ભારતને જુન 1948 સુધી આઝાદી આપવાનું આયોજન કરે છે. એ માટે લોર્ડ માઉંટબેટનની નીયુક્તી કરવામાં આવે છે. લોર્ડ દરેક મુખ્ય નેતાઓને અંગત રીતે મળવા માંગે છે. લોર્ડ પોતાની પત્ની (લેડી એડવીના)ને કહે છે, “આ દરેક નેતાઓમાં 5 બાબતો સામાન્ય છે: બધાં વૃધ્ધ છે, બધાં વકીલ છે, કોઇને એડમીનીસ્ટ્રશનનો અનુભવ નથી, બધાં ડુબી રહ્યાં છે, બધાંને સ્વરાજય જોઇએ છે. હવે, તું જો હું કેવું રાજકારણ ખેલું છું.”
લોર્ડ નેહરુ, લીયાકતઅલી, ગાંધીજી, સરદાર અને ઝીણાને મળે છે. નેહરુ, લીયાકતાલી અને ઝીણા સાથે તેમને અંગત અને સાંપ્રત ચર્ચા થાય છે. ગાંધીજી લોર્ડને સાફ શબ્દોમાં સુણાવે છે કે અત્યાર સુધીના લોર્ડ જે વાવી ગયા છે (ડીવાઇડ અને રુલ) તે તમારે અને અમારે ભોગવવું તો પડશે જ. હાલના સંજોગોમાં શ્રેષ્ઠ ઉપાય એ છે કે મુસ્લીમ લીગ સત્તા સંભાળી લે, તો જ આપણે ભાગલામાંથી બચી શકીશું. મને સંપુર્ણ સ્વરાજ્ય સીવાય ઓછું કશું નથી ખપતું.
જ્યારે સરદાર મળવા આવે છે ત્યારે લોર્ડ પુછે છે, “સરદાર, તમે રાજકારણમાં કેવી રીતે આવ્યા?” સરદાર કહે છે, “અહીં હું મારા વીશે વાત કરવા નથી આવ્યો. હું અહીં એ જણાવવા આવ્યો છું કે અમે અમારા નવા વાઇસરોય પાસે શું અપેક્ષા રાખીએ છીએ.” લોર્ડ કહે છે, “માફ કરજો, પરંતુ પહેલાં હું આપને જાણવા માંગું છું.” સરદાર કહે છે, “તો હું રજા લઇશ.”
======== * 2 * ========
ગાંધીજીએ લોર્ડને જે જણાવ્યું એ કોંગ્રેસની કારોબારીમાં પણ જણાવ્યું, કે પોતાને ભાગલા માન્ય નથી, અને એટલે જ લીગને સત્તા સોંપી દઇએ. સરદારનો જવાબ, “બાપુ, તમે મહાત્મા છો. તમે જ આવું વીચારી શકો. અમે રહ્યાં સામાન્ય માણસો. અમે આવું ના કરી શકીએ.”

4 comments
Comments feed for this article
September 1, 2007 at 8:00 pm
સુરેશ
અહીં ખરેખર સાવ નવી જ વાતો જાણવા મળે છે. જુની પણ તરોતાજા. આ પ્રક્રીયા ચાલુ જ રાખજે, ભાઈ.
જો આમ થયું હોત તો? સારી ચર્ચા કરી શકાય! મને એકબીજાના વીચારો જાણવાનું બહુ જ ગમે છે. તો જ આપણે આપણા પોતાના સીમીત વાડામાંથી બહાર આવી શકીએ.
September 1, 2007 at 10:42 pm
Jignesh Adhyaru
કાંઇક નવુ વાંચવાનું ગમ્યુ…
September 3, 2007 at 7:06 am
Chetan Chandulal Framewala
નેહરુ ને બદલે સરદાર હોત તો કદાચ આ ગઝલ લખવી ન પડત .
જરા સોચો ને આપનાં કિમતી અભિપ્રાય આપશો.)
કાં ગલત પગલું પડ્યું ,સોચો જરા?
દેશ ને કેવું નડ્યું, સોચો જરા?
એમનું વ્રત દેશ સેવાનું હતું,
તે છતાં ખીસ્સું ભર્યું? સોચો જરા!
સૌ અમનની વાત તો કરતાં રહ્યા,
ને અહીં પંખી મર્યું,સોચો જરા !
ગાંધીને પણ વેંચતાં ભર ચોકમાં
એમનું દિલ ના ડર્યું, સોચો જરા!
નીર ગંગાનું, હવે કાળું થયું.
પાપ આ, કોનું ભળ્યું, સોચો જરા.
આમ; ચેતન, જીંદગી વીતી જશે,
દેશ માટે શું કર્યું, સોચો જરા…..!
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા..
September 14, 2007 at 2:26 am
Mehul
Gunvant Shah has written a book “Sardar etle sardar” - highly recommended book. Seeing Sardar movie after reading that book will give you a whole new perspective.
As far as choosing Nehru instead of Sardar is concerned, according to that book, Gandhi did it very deliberately, considering following points:
1) Nehru was 15 years younger than Sardar. Gandhi knew that having a long rule of first Prime Minister would be critical for Independent India.
2) Nehru was next senior most person in Congress after Sardar. If Sardar is PM, Nehru has to be Home Minister. Gandhi knew that Sardar was a better fit for that more difficult task (of being a Home Minister). And indeed, Sardar did the job very well.
3) Gandhi knew that he can count on Sardar - however, if Nehru was not made the PM, he might have created “Samajwadi Party” in 1951, destabilizing Congress and entire country!!
So, I guess, Gandhi did the right thing!