<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:media="http://search.yahoo.com/mrss/"
	>

<channel>
	<title>પરીમીતી</title>
	<atom:link href="http://parimiti.wordpress.com/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>http://parimiti.wordpress.com</link>
	<description>અનુભુતીના અવકાશને ઓળંગવાનો પ્રયાસ</description>
	<pubDate>Tue, 08 Jul 2008 17:56:20 +0000</pubDate>
	<generator>http://wordpress.org/?v=MU</generator>
	<language>gu</language>
			<item>
		<title>મૃત્યુની પાર</title>
		<link>http://parimiti.wordpress.com/2008/07/08/mrutyupaa/</link>
		<comments>http://parimiti.wordpress.com/2008/07/08/mrutyupaa/#comments</comments>
		<pubDate>Tue, 08 Jul 2008 17:56:20 +0000</pubDate>
		<dc:creator>Chirag</dc:creator>
		
		<category><![CDATA[ધર્મ]]></category>

		<category><![CDATA[વીજ્ઞાન]]></category>

		<guid isPermaLink="false">http://parimiti.wordpress.com/?p=76</guid>
		<description><![CDATA[મૃત્યુની પાર - ચીરાગ પટેલ જુલ. 08, 2008
મહાભારતના એક પ્રસંગમાં આવે છે એ મુજબ, જ્યારે યક્ષ ધર્મરાજ યુધીષ્ઠીરને પ્રશ્ન કરે છે કે, &#8220;સંસારનું સહુથી મોટું આશ્ચર્ય શું છે?&#8221; ત્યારે ધર્મરાજ જવાબ આપે છે કે, &#8220;મનુષ્ય જાણે છે કે એક દીવસ મૃત્યુ આવવાનું છે, છતાં પોતે અમર હોવાનો ડોળ કરે છે. આથી વધુ મોટું આશ્ચર્ય કયું [...]]]></description>
			<content:encoded><![CDATA[<div class='snap_preview'><br /><p><strong>મૃત્યુની પાર - ચીરાગ પટેલ જુલ. 08, 2008</strong></p>
<p>મહાભારતના એક પ્રસંગમાં આવે છે એ મુજબ, જ્યારે યક્ષ ધર્મરાજ યુધીષ્ઠીરને પ્રશ્ન કરે છે કે, &#8220;સંસારનું સહુથી મોટું આશ્ચર્ય શું છે?&#8221; ત્યારે ધર્મરાજ જવાબ આપે છે કે, &#8220;મનુષ્ય જાણે છે કે એક દીવસ મૃત્યુ આવવાનું છે, છતાં પોતે અમર હોવાનો ડોળ કરે છે. આથી વધુ મોટું આશ્ચર્ય કયું હોઈ શકે?&#8221; જો કે, આજનું વીજ્ઞાન મૃત્યુ તો ઠીક, જીવનને પણ અટકાવવા પ્રયત્નશીલ છે! આપણે મૃત્યુની પેલે પારના જીવન વીશે પણ ઘણી બધી દંતકથાઓ અને વાર્તાઓ અને વીચારો કરીએ છીએ. ઘણીવાર, મૃત્યુ પછીના અસ્તીત્વની કલ્પનાએ આ જીવનને સારા ગુણોથી ભરવામાં મદદ કરી છે. આજે, હું મૃત્યુ પછીના અસ્તીત્વને મારી દૃષ્ટીએ સમજાવવા પ્રયત્ન કરીશ. હું પણ કેમ બાકી રહું? :))</p>
<p>છેક પુરાતન કાળથી આપણે પુનર્જન્મ અને જીવનથી અલગ આત્માના અસ્તીત્વને સ્વીકારતાં આવ્યાં છીએ. આપણે આપણા હાલના જીવનમાં ઘટતી બીનાઓને પુર્વજ્ન્મનાં કર્મોનું ફળ માનીએ છીએ, અને હાલના જીવનના કર્મોનું ફળ આ જન્મમાં ના મળે તો નવા જન્મમાં મળે છે એવું માનીએ છીએ! આ છે કર્મનો સીધ્ધાંત, જેનું પ્રતીપાદન શ્રીકૃષ્ણએ ગીતામાં બહુ સચોટ રીતે કર્યું છે. આપણે જેમ રોજેરોજ કપડાં બદલીએ છીએ એ જ રીતે આત્મા પણ જુદાં - જુદાં શરીર બદલે છે અને પોતાનાં પ્રગતી-પથ પર ગતી કરતો અંતે પરબ્રહ્મમાં લીન થઈ જાય છે! આ બધી વીગતોની વ્યાપક ચર્ચા ફરી ક્યારેક કરીશું. આ લેખમાં માત્ર અને માત્ર મૃત્યુ અને નવા જન્મ વચ્ચેની સ્થીતીનો વીચાર કરીશું.</p>
<p>દરેક ધર્મમાં વત્તે-ઓછે અંશે મૃત્યુ પછી સ્વર્ગ કે નર્કની કલ્પના કરવામાં આવી છે. સમગ્ર સૃષ્ટીને માટે સારાં ગણવામાં આવેલાં કર્મો કરવાથી સ્વર્ગ મળે અને ખરાબ કર્મો કરવાથી નર્ક મળે! સ્વર્ગ કે નર્કમાં પણ અમુક સમય સુધી રહીને કર્મોનો ક્ષય થતાં ફરી પાછાં આ મઝાની પૃથ્વી ભેગાં!!! સ્વર્ગની અપેક્ષાએ તો સમાજનો મોટો ભાગ દુષ્કૃત્યો કરવાથી દુર રહે છે. (જો કે, ઓસામા બીન લાદેન જુદાં રસ્તે સ્વર્ગ મેળવવાની લાલચ આપે છે!)</p>
<p>હવે, જેનું મૃત્યુ થયું છે એ કદી પાછા આવીને કશું કહી શકતા નથી, અને અજાણ્યા આપણે તો માત્ર કલ્પના જ કરવી રહી.</p>
<p>પરંતુ, તાજેતરનાં ઈતીહાસમાં અમુક એવાં ઉદાહરણ જાણવા મળે છે કે, જેમણે મૃત્યુ પછી શું થાય છે એને હકીકતરુપે વર્ણવી છે. પરમહંસ યોગાનન્દનાં ગુરુ શ્રીયુક્તેશ્વર દેહત્યાગ પછી યોગાનન્દને મળે છે અને મૃત્યુ પછીની સ્થીતીનું વર્ણન કરે છે. જુઓ: <a href="http://www.crystalclarity.com/yogananda/chap43.html">http://www.crystalclarity.com/yogananda/chap43.html </a></p>
<p>હીન્દુ શાસ્ત્રો મુજબ, આપણાં ત્રણ પ્રકારનાં શરીર હોય છે: ભૌતીક શરીર (physical body), મનોમય શરીર (astral body), અને કારણ શરીર (causal body). અને, આ સર્વેથી પર હોય છે આત્મા - શુધ્ધ, સચ્ચીદાનન્દનો અંશ, પવીત્ર, શાશ્વત.</p>
<p>આપણાં માટે ભૌતીક શરીરનો નાશ એ મૃત્યુ છે. પણ મનોમય શરીર ભૌતીક શરીરના નાશ બાદ 12 દીવસ સુધી રહે છે (એટલે જ મૃત્યુ પછી બારમું-તેરમું વગેરે વીધી હોય છે). ત્યારબાદ, આત્મા મનોમય શરીરનો પણ ત્યાગ કરે છે, અને માત્ર કારણ શરીર રહે છે. મનોમય શરીર છોડતાં આત્માને કષ્ટ પડતું હોવાનું કહેવાય છે. માટે, જો કોઈ વ્યક્તી મૃત્યુ પામે તો એના સગાંવ્હાલાંઓએ માત્ર રડવાં કરતાં ભજન-પ્રાર્થના પર વધુ ધ્યાન આપવું જોઈએ અને તેની શાંતી માટે પ્રાર્થના કરવી જોઈએ. આ વખતે આત્માનાં એ જન્મનાં સંબંધો નાશ પામે છે. જો તેને આ સંબંધોનું ખેંચાણ રહે તો મનોમય શરીર સહેલાઈથી નહીં છોડી શકે!</p>
<p>(નોંધ: હું આવી બધી બાબતોમાં માનતો નહીં. પણ, પપ્પાના મૃત્યુ પછી જે અનુભવો થયા એ પરથી હું એ સ્વીકારતો થયો છું.)</p>
<p>કારણ શરીર આત્માને પાછલાં જન્મોનું જ્ઞાન કરાવે છે અને છેલ્લા જન્મનું સરવૈયું તૈયાર કરે છે. ત્યાર બાદ, તે આત્મા પછી નવો જન્મ કેવી રીતે લેવો, ક્યાં લેવો અને કેવો અનુભવ પ્રાપ્ત કરવો એ નક્કી કરે છે. અને, નવો જન્મ ધારણ કરે છે! અહીં ક્યાંય યમદુતો કે સ્વર્ગ-નર્ક કે ચઢતી-ઉતરતી યોનીનો કોઈ સવાલ જ નથી આવતો.</p>
<p>જે વ્યક્તી પોતાનાં દૈહીક જન્મમાં કર્મોનો ત્યાગ કરવામાં સફળ થઈ હોય, તેનું કારણ શરીર પણ નાશ પામતું હોય છે. માત્ર અને માત્ર આત્મા રહી જાય છે અને એ પરબ્રહ્મની જ્યોતીમાં વીલીન થઈ જાય છે.</p>
<p>શ્રીઅરવિન્દે &#8220;પુર્ણયોગની સમીક્ષા&#8221; પુસ્તીકામાં આ વાત લખી છે.</p>
<p>ઘણાં બધાં સાયકાયાટ્રીસ્ટે ડીપ-ટ્રાંસના પ્રયોગો કર્યાં છે અને પોતાનાં અનુભવોની નોંધ પણ પ્રગટ કરી છે. આવાં એક વૈજ્ઞાનીક - ડૉક્ટર છે, જોએલ વ્હીટન (Dr Joel Whitton). નેટ પર એમની ઘણીબધી નોંધ મળી આવશે. તેમણે દેશ-જાતી-ધર્મ-આયુષ્ય-પુનર્જન્મમાં માનતા/ના માનતા વેગેરે વીવીધતાં ધરાવતાં ઘણાં લોકો પર પ્રયોગો કર્યાં હતાં. તેમની અભ્યાસનોંધમાંથી કેટલાંક અવતરણો:</p>
<p>- જન્મ પહેલાંની અને મૃત્યુ પછીની સ્થીતીનું વર્ણન એકસરખું મળતું આવે છે.<br />
- આત્મા એક ઘણી જ પ્રકાશીત જગ્યાએ પહોંચે છે. આ પ્રકાશ આંજી દેતો પણ સહેજે કષ્ટદાયક લાગતો નથી.<br />
- એ જગ્યાએ તે આત્મા પોતાના પુર્વજન્મનાં ઘણાં સ્નેહીઓને ઓળખી પાડે છે. પછી, એ પુર્વજ્ન્મ કોઈ પ્રાણી કે વનસ્પતીનો ભલે હોય!<br />
- આત્મા નવા જન્મનાં પૃથક્કરણ વખતે સ્ત્રી કે પુરુષ તરીકે અવતરવું એ નક્કી કરે છે. વળી, ક્યાં અને કેવો અનુભવ લેવો એ પણ નક્કી કરી લે છે. એક કીસ્સામાં એક સ્ત્રીએ વ્હીટનને એવું કહ્યું હતું કે, પોતાના પર 34 વર્ષની ઉમ્મરે બળાત્કાર થાય એ તેણે પહેલાંના જન્મોમાં બાકી રહી ગયેલા એક કર્મ સંબંધે નક્કી કર્યું હતું!<br />
- જો આત્મા નક્કી કરેલી યોજના મુજબ અનુભવ મેળવી ના શકે તો નવા જન્મમાં એ માટેના સંજોગો ઉભાં કરે છે.<br />
- આત્મા પૃથક્કરણ કરતી વખતે જાણે કોઈ અજાણી શક્તીના દોરીસંચારથી, પોતાની જાતે જ દુઃખ કે સુખનાં અનુભવો નક્કી કરે છે. દરેક ઘટનાનું સમ્પુર્ણ તટસ્થભાવે અવલોકન કરે છે.</p>
<p>હું પોતે માનું છું કે પ્રાણના મહાસાગરનાં એક નાના-શાં તરંગ આપણે, દરેક ઘટનાની પાછળ એક ચોક્કસ કારણને જાણવું જોઈએ. પોતાની જાતને કદી દુઃખી કે દુર્બળ માનવી ના જોઈએ. હમ્મેશાં સારાં કર્મો કરવાં અને બને ત્યાં સુધી કર્મફળનો ત્યાગ કરવો. જેમ, ખોટાં કર્મો આપણને બાન્ધે છે, એ જ રીતે સારાં કર્મો પણ આપણને બાન્ધે છે. શ્રીકૃષ્ણના કહ્યાં મુજબ આપણે દરેક પ્રકારનાં કર્મોના ફળને શ્રીના ચરણોમાં અર્પણ કરવાં જોઈએ. પછી, આ ચક્રમાં કેવી રીતે રહેવું અને એમાંથી ક્યારે બહાર આવવું એ બધી એની જવાબદારી થઈ પડે છે! મોરારીબાપુએ કહ્યું છે ને કે, જો ગમતું થાય તો હરીકૃપા, ગમતું ના થાય તો હરીઈચ્છા! કર્મ કર્યાં વગર તો આપણે રહી શકીએ એમ નથી, એટલે એનાં ફળનો ત્યાગ કરીએ.</p>
<p>જે ઘણાં ધાર્મીક લોકો બીવડાવે છે કે, ખોટાં કામ કરવાથી પશુયોનીમાં જન્મવું પડશે, એ લોકો કંઈક અંશે સાચું કહે છે. પણ, સાથે એ પણ સાચું છે કે, આ આત્મા પરબ્રહ્મનો અંશ છે અને તેની પોતાની પાસે જ પ્રગતીની ચાવી છે. જે અનુભવો આત્મા લેવા માંગે છે, એ તટસ્થભાવે અનુભવો અને આત્માને એટલો ઉચ્ચ આવૃત્તી પર લઈ જાઓ કે જેથી તે આ ચક્રનું આવરણ ભેદી શકે. એના માટે શુધ્ધ ભક્તી જેટલો સહેલો અને સચોટ ઉપાય નથી.</p>
<img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/categories/parimiti.wordpress.com/76/" /> <img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/tags/parimiti.wordpress.com/76/" /> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gocomments/parimiti.wordpress.com/76/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/comments/parimiti.wordpress.com/76/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godelicious/parimiti.wordpress.com/76/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/delicious/parimiti.wordpress.com/76/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gostumble/parimiti.wordpress.com/76/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/stumble/parimiti.wordpress.com/76/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godigg/parimiti.wordpress.com/76/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/digg/parimiti.wordpress.com/76/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/goreddit/parimiti.wordpress.com/76/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/reddit/parimiti.wordpress.com/76/" /></a> <img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=parimiti.wordpress.com&blog=1321180&post=76&subd=parimiti&ref=&feed=1" /></div>]]></content:encoded>
			<wfw:commentRss>http://parimiti.wordpress.com/2008/07/08/mrutyupaa/feed/</wfw:commentRss>
	
		<media:content url="http://a.wordpress.com/avatar/veejansh-128.jpg" medium="image">
			<media:title type="html">Chirag</media:title>
		</media:content>
	</item>
		<item>
		<title>ભારત - 2</title>
		<link>http://parimiti.wordpress.com/2008/07/04/bharat-2/</link>
		<comments>http://parimiti.wordpress.com/2008/07/04/bharat-2/#comments</comments>
		<pubDate>Fri, 04 Jul 2008 21:06:56 +0000</pubDate>
		<dc:creator>Chirag</dc:creator>
		
		<category><![CDATA[ધર્મ]]></category>

		<category><![CDATA[સ્વામી વિવેકાનંદ]]></category>

		<guid isPermaLink="false">http://parimiti.wordpress.com/?p=74</guid>
		<description><![CDATA[ભારત - 2 - સ્વામી વિવેકાનન્દ
11. શું તમને લોકો માટે લાગણી છે? દેવો અને ઋષીમુનીઓના કરોડો વંશજો આજે લગભગ પશુઓની કોટીએ પહોંચી ગયા છે. તેનું તમને લાગી આવે છે ખરું? આજે લાખો લોકો ભુખે મરે છે અને લાખો લોકો અનેક યુગોથી ભુખમરો વેઠી રહ્યા છે તેનું કંઈ સંવેદન તમને થાય છે ખરું? કોઈ કાળાં વાદળની [...]]]></description>
			<content:encoded><![CDATA[<div class='snap_preview'><br /><p><strong>ભારત - 2 - સ્વામી વિવેકાનન્દ</strong></p>
<p>11. શું તમને લોકો માટે લાગણી છે? દેવો અને ઋષીમુનીઓના કરોડો વંશજો આજે લગભગ પશુઓની કોટીએ પહોંચી ગયા છે. તેનું તમને લાગી આવે છે ખરું? આજે લાખો લોકો ભુખે મરે છે અને લાખો લોકો અનેક યુગોથી ભુખમરો વેઠી રહ્યા છે તેનું કંઈ સંવેદન તમને થાય છે ખરું? કોઈ કાળાં વાદળની જેમ અજ્ઞાન આ દેશ ઉપર છાઈ રહ્યું છે તેનો તમને કંઈ વસવસો છે ખરો? શું એથી તમને અજંપો થાય છે? શું એથી તમારી ઉંઘ હરામ થઈ ગઈ છે ખરી? શું એ હકીકત તમારા હ્રદયના ધબકારા સાથે તાલ મેળવીને અને તમારી નસોમાં ભ્રમણ કરીને, તમારા રક્તમાં પ્રવેશી ચુકી છે? શું એનાથી તમે લગભગ પાગલ જેવા બની ગયા છો? શું પાયમાલીના દુઃખના એકમાત્ર ખ્યાલે તમારો કબજો લઈ લીધો છે ખરો? શું આને માટે તમે તમારું નામ, તમારી કીર્તી, તમારાં સ્ત્રીછોકરાં, તમારી સંપત્તી - અને તમારો દેહ સુધ્ધાં- વીસરી બેઠા છો ખરા? શું તમે આવું બધું અનુભવ્યું છે ખરું? દેશભક્ત થવાનું એ પ્રથમ સોપાન છે - સૌથી પ્રથમ સોપાન.</p>
<p>12. આવો, મનુષ્ય બનો. તમારી કુપમંડુક્તામાંથી બહાર આવો અને બહારની દુનીયાને નીહાળો, બીજા દેશો કેવી રીતે આગેકુચ કરી રહ્યા છે તે જુઓ. શું તમે મનુષ્યને ચાહો છો? શું તમારામાં દેશપ્રેમ છે? તો પછી આવો આપણે વધુ ઉચ્ચ અને સારી વસ્તુઓ માટે પુરુષાર્થ કરીએ. પાછળ નજર નહીં કરો, ના, તમારાં પ્રીયજનો અને સ્વજનોને રડતાં જુઓ તો પણ નહીં. પાછળ નહીં, આગળ નજર કરો.</p>
<p>13. ભારત પ્રતી પુર્ણ પ્રેમ અને દેશભક્તી હોવા છતાં, આપણા પુર્વજો પ્રતી આદરભાવ હોવા છતાં હું એવું માન્યા વગર રહી શકતો નથી કે આપણે અન્ય દેશો પાસેથી પણ ઘણું ઘણું શીખવાનું છે. ભારત બહારના જગત વગર આપણે ચલાવી શકીએ; આપણે એવું માની લીધું એ આપણી મુર્ખાઈ હતી અને છેલ્લાં હજારેક વર્ષોની ગુલામી ભોગવીને આપણે એનો દંડ ચુકવ્યો છે. બીજા દેશો સાથે આપણા દેશની વસ્તુસ્થીતીની તુલના કરવા માટે આપણે પરદેશગમન ન કર્યું અને આપણી આસપાસ સર્વત્ર શું ચાલી રહ્યું છે તેના ઉપર ધ્યાન આપ્યું નહીં, એ ભારતીય વીચાર-શક્તીના આ પતનનું એક મુખ્ય કારણ છે. આપણે એનો દંડ ચુકવ્યો છે; હવે આપણે એનું પુનરાવર્તન ન કરીએ.</p>
<p>14. દક્ષીણ ભારતનાં કેટલાંક પ્રાચીન મંદીરો અને ગુજરાતના સોમનાથ જેવાં મંદીરો તમને જ્ઞાનના અનેક ગ્રંથો શીખવશે, ઢગલાબંધ ગ્રંથો કરતાં પ્રજાના ઈતીહાસમાં તમને વધુ ઉંડી દ્રષ્ટી આપશે. ખંડેરમાંથી અવારનવાર ઉભા થતાં ફરીથી એ જ નવશક્તી અને સામર્થ્ય ધારણ કરતાં આ મંદીરો ઉપર સેંકડો આક્રમણો અને સેંકડો પુનરુધ્ધારનાં ચીહ્નો કેવાં અંકીત થયાં છે તે જુઓ! એ છે રાષ્ટ્રીય માનસ, એ છે રાષ્ટ્રીય જીવનપ્રવાહ.</p>
<p>15. આપણી આ મહાન માતૃભુમી ભારત - એ જ આવતાં પચાસ વર્ષો સુધી આપણું મુખ્ય વીચાર-કેન્દ્ર બની રહેવું જોઈએ. બીજા બધા મીથ્યા દેવો એટલા સમયને માટે આપણા મનમાંથી ભલે વીલુપ્ત થઈ જાય! અત્યારે તો આ એકમાત્ર દેવ, આપણી આ ભારતીય પ્રજા - જાગ્રત છે. &#8216;ચારે દીશામાં તેના હાથ છે, ચારે દીશામાં તેના પગ છે, ચારે દીશામાં તેના કાન છે; સર્વને તે આવરી રહેલ છે.&#8217; બીજા બધા દેવો ઉંઘી ગયા છે. આપણે કેવા મીથ્યા દેવોની પાછળ દોટ મુકી રહ્યા છીએ અને છતાં જેને આપણે આપણી ચોતરફ વીસ્તરતો જોઈએ છીએ તે દેવને - તે વીરાટને - આપણે પુજી શકતા નથી! જ્યારે આપણે આ દેવનું પુજન કરીશું ત્યારે બીજા બધા દેવોનું પુજન કરવાને શક્તીમાન થઈશું.</p>
<p>16. રાષ્ટ્રના આધ્યાત્મીક અને વ્યાવહારીક શીક્ષણ ઉપર આપણો કાબુ હોવો જોઈએ. તમે આ વાત સમજો છો ખરા? અત્યારે તમને જે શીક્ષણ મળે છે તેમાં કેટલાક સારા અંશો અવશ્ય છે. પરંતુ તેમાં એ મોટી ખામી છે - અને આ ખામી એટલી મોટી છે કે તમામ સારા અંશો તદ્દન દબાઈ જાય છે. પહેલી વસ્તુ એ કે એ મનુષ્યત્વનું ધડતર કરનારું શીક્ષણ નથી. એ સંપુર્ણ રીતે કેવળ નીષેધનું - જડતાનું - શીક્ષણ છે. નીષેધાત્મક શીક્ષણ અથવા નીષેધોના પાયા ઉપર રહેલી કોઈપણ તાલીમ મૃત્યુ કરતાં પણ વધુ ખરાબ છે.</p>
<p>17. ભારતને તો હું અહીં આવ્યો તે પહેલાં પણ ચાહતો હતો, પરંતુ હવે તો તેની ધુળ પણ મારા માટે પવીત્ર છે, તેની હવા પણ મારા માટે પુનીત છે; હવે એ પુણ્યભુમી-તીર્થભુમી- બન્યું છે. </p>
<p>18. જો તમારે અંગ્રેજ કે અમેરીકન પ્રજાની બરોબરી કરવી હોય તો તમારે શીખવું તેમ જ શીખવવું પડશે - અને હજી પણ સદીઓ સુધી જગતને શીખવી શકો એવું તમારી પાસે ઘણું છે. આ કાર્ય કરવું જ પડશે.</p>
<p>19. ભારતનું પતન થયું તેનું કારણ એ નથી કે પ્રાચીન નીયમો અને રીતરીવાજો ખરાબ હતા; પરંતુ તેનું કારણ તો એ છે કે આ નીયમો અને રીતરીવાજોને એમનાં ઉચીત પરીણામો સુધી પહોંચવા દેવામાં આવ્યાં નહીં.</p>
<p>20. રાષ્ટ્ર માટે પોતાનું સર્વસ્વ હોમી દેવા તત્પર બનેલા અને નીષ્ઠાથી ઉભરાતા લોકોનો જ્યારે તમને સાથ મળે - એવા લોકો જ્યારે તમારી વચ્ચે ઉભા થાય ત્યારે ભારત એકેએક ક્ષેત્રમાં મહાન બનશે. રાષ્ટ્ર એટલે આખરે તો રાષ્ટ્રના લોકો જ! </p>
<p>&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8211;<br />
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશીત પુસ્તીકામાંથી સાભાર&#8230;</p>
<img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/categories/parimiti.wordpress.com/74/" /> <img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/tags/parimiti.wordpress.com/74/" /> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gocomments/parimiti.wordpress.com/74/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/comments/parimiti.wordpress.com/74/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godelicious/parimiti.wordpress.com/74/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/delicious/parimiti.wordpress.com/74/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gostumble/parimiti.wordpress.com/74/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/stumble/parimiti.wordpress.com/74/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godigg/parimiti.wordpress.com/74/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/digg/parimiti.wordpress.com/74/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/goreddit/parimiti.wordpress.com/74/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/reddit/parimiti.wordpress.com/74/" /></a> <img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=parimiti.wordpress.com&blog=1321180&post=74&subd=parimiti&ref=&feed=1" /></div>]]></content:encoded>
			<wfw:commentRss>http://parimiti.wordpress.com/2008/07/04/bharat-2/feed/</wfw:commentRss>
	
		<media:content url="http://a.wordpress.com/avatar/veejansh-128.jpg" medium="image">
			<media:title type="html">Chirag</media:title>
		</media:content>
	</item>
		<item>
		<title>સતોડીયું</title>
		<link>http://parimiti.wordpress.com/2008/06/21/satodiy/</link>
		<comments>http://parimiti.wordpress.com/2008/06/21/satodiy/#comments</comments>
		<pubDate>Sat, 21 Jun 2008 22:04:08 +0000</pubDate>
		<dc:creator>Chirag</dc:creator>
		
		<category><![CDATA[ધર્મ]]></category>

		<category><![CDATA[વીજ્ઞાન]]></category>

		<guid isPermaLink="false">http://parimiti.wordpress.com/?p=73</guid>
		<description><![CDATA[સતોડીયું - ચીરાગ પટેલ Jun 21, 2008
નાનપણમાં &#8216;સતોડીયું&#8217; તો ઘણાં બધાં રમ્યાં હશે! સાત નાના ઠીકરાં એક પર એક મુકીને પછી આપણે બે ટીમ પાડીને દડાથી સતોડીયું તોડવાની રમત રમતાં હતાં. પ્રકૃતી પણ સતોડીયાનો ખેલ બહુ બધી રીતે રમી રહી છે. આજે, આપણે આ બાબતે થોડુંક અવલોકન કરીએ.
થોડી ગણીતની ગમ્મતથી શરુઆત કરીએ. અપુર્ણાંકની રીતે 1 [...]]]></description>
			<content:encoded><![CDATA[<div class='snap_preview'><br /><p><strong>સતોડીયું - ચીરાગ પટેલ Jun 21, 2008</strong></p>
<p>નાનપણમાં &#8216;સતોડીયું&#8217; તો ઘણાં બધાં રમ્યાં હશે! સાત નાના ઠીકરાં એક પર એક મુકીને પછી આપણે બે ટીમ પાડીને દડાથી સતોડીયું તોડવાની રમત રમતાં હતાં. પ્રકૃતી પણ સતોડીયાનો ખેલ બહુ બધી રીતે રમી રહી છે. આજે, આપણે આ બાબતે થોડુંક અવલોકન કરીએ.</p>
<p>થોડી ગણીતની ગમ્મતથી શરુઆત કરીએ. અપુર્ણાંકની રીતે 1 ને 7 વડે ભાગો. શો જવાબ આવ્યો? 0.142857142857&#8230; હવે, 2 ને 7 વડે ભાગો તો! 0.285714285714&#8230; આ જ પ્રક્રીયા 3, 4, 5, 6 પર કરીએ તો શું જોવા મળે છે?</p>
<p>1 / 7 = 0.142857<br />
2 / 7 = 0.285714<br />
3 / 7 = 0.428571<br />
4 / 7 = 0.571428<br />
5 / 7 = 0.714285<br />
6 / 7 = 0.857142</p>
<p>હવે, આ લીંક પરની આકૃતી જુઓ: <a href="http://en.wikipedia.org/wiki/Image:Enneagram.svg">http://en.wikipedia.org/wiki/Image:Enneagram.svg</a></p>
<p>અહીં એનીયાગ્રામ ( Enneagram ) માં 1 થી 9 સુધીના અંકોને એકસરખા ખુણે લખવામાં આવ્યાં છે અને એમાં 1, 4, 2, 8, 5, 7 એ ક્રમમાં જોડવાથી બનતો આકાર દર્શાવવામાં આવ્યો છે. શરુઆત જો 1થી કરો તો 1/7 નો જવાબ મળશે. શરુઆત જો 2થી કરો તો 2/7 નો જવાબ મળશે. એ જ પ્રમાણે, 4થી શરુઆત કરતાં 3/7 વગેરેનો જવાબ મળશે. બાકી રહેલાં 3, 6, અને 9 ને જોડતો ત્રીકોણ જુઓ. આ એનીયાગ્રામ એ સાત તત્વો કે સાત ચક્રોનું પ્રતીનીધીત્વ કરે છે. એને થોડા વીસ્તારથી સમજીએ.</p>
<p>[ ચક્ર == બીજ == સ્થાન == તત્વ] નો કોઠો:<br />
મુળાધાર - લં - કરોડનો સહુથી નીચેનો છેડો - પૃથ્વી<br />
સ્વાધીષ્ઠાન - વં - જનનાંગના છેડે - જળ<br />
મણીપુર - રં - નાભી - અગ્ની<br />
અનાહત - યં - છાતી મધ્યે - વાયુ<br />
વીશુધ્ધ - હં - ગળાના છેડે - આકાશ -<br />
આજ્ઞા - ૐ - ભ્રુકુટી મધ્યે - માનસ<br />
સહસ્ત્રાર - ૐ - શીખામુળ - મહત</p>
<p>મન જ્યારે આ જુદા જુદા તત્વો/ચક્રોમાં ઉપર ઉઠે છે ત્યારે એને જુદા જુદા આધ્યાત્મીક અનુભવો થતાં હોય છે. આ ઉપરાંત, નાકની નીચે બ્રહ્મ ગ્રંથી, પેટની શરુઆતના ભાગે વીષ્ણુ ગ્રંથી, અને મુળાધાર-સ્વાધીષ્ઠાનની વચ્ચે રુદ્ર ગ્રંથી હોય છે. એમને અનુક્રમે ઐઁ, હ્રીઁ, ક્લીઁ એ બીજમંત્રોથી કાર્યરત કરવામાં આવે છે. આપણે આખો મંત્ર જોઈએ તો સહસ્ત્રાર - બ્રહ્મ ગ્રંથી - વીષ્ણુ ગ્રંથી - રુદ્ર ગ્રંથી - મુળાધાર - સ્વાધીષ્ઠાન - મણીપુર - અનાહત - વીશુધ્ધ - આજ્ઞા એ ક્રમમાં &#8220;ૐ ઐઁ હ્રીઁ ક્લીઁ લઁ વઁ રઁ યઁ હઁ ૐ&#8221; એવા જાપથી ધ્યાન કરવામાં આવે છે. મુળમંત્ર કે નવાર્ણ મંત્રમાં પણ આ જ તત્વો/ચક્રોનું નીરુપણ છે - &#8220;ૐ ઐઁ હ્રીઁ ક્લીઁ ચામુંડાયૈ વીચ્ચે&#8221; એ રીતે ધ્યાન કરવામાં આવે છે. </p>
<p>કુદરત પ્રકાશીય કે ક્વૉંટમ ઘટનાઓમાં પણ સાત રંગોની રંગોળી પુરે છે. મેઘધનુષ, પ્રીઝમ વગેરેમાં જામ્બલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી, રાતો રંગ દેખાય છે. ઈલેક્ટ્રોનની સ્પેક્ટ્રલ લાઈનમાં પણ આ સાત રંગોનાં જ સપનાં હોય છે! પૃથ્વી પર સાત ખંડ (એશીયા, આફ્રીકા, યુરોપ, ઉત્તર અમેરીકા, દક્ષીણ અમેરીકા, ઑસ્ટ્રેલીયા, એંટાર્કટીકા), જ્યોતીષમાં મુખ્ય સાત ગ્રહો, વગેરેમાં પણ સાતનું જ સામ્રાજ્ય છે. અઠવાડીયાના વાર પણ સાત (રવી, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શની) છે. (આપની જાણ ખાતર, મારો જન્મ પણ 7મી જાન્યુઆરી છે, એટલે મને 7 પ્રત્યે વીશેષ અનુરાગ હોવો વ્યાજબી છે ને&#8230;)</p>
<img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/categories/parimiti.wordpress.com/73/" /> <img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/tags/parimiti.wordpress.com/73/" /> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gocomments/parimiti.wordpress.com/73/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/comments/parimiti.wordpress.com/73/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godelicious/parimiti.wordpress.com/73/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/delicious/parimiti.wordpress.com/73/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gostumble/parimiti.wordpress.com/73/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/stumble/parimiti.wordpress.com/73/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godigg/parimiti.wordpress.com/73/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/digg/parimiti.wordpress.com/73/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/goreddit/parimiti.wordpress.com/73/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/reddit/parimiti.wordpress.com/73/" /></a> <img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=parimiti.wordpress.com&blog=1321180&post=73&subd=parimiti&ref=&feed=1" /></div>]]></content:encoded>
			<wfw:commentRss>http://parimiti.wordpress.com/2008/06/21/satodiy/feed/</wfw:commentRss>
	
		<media:content url="http://a.wordpress.com/avatar/veejansh-128.jpg" medium="image">
			<media:title type="html">Chirag</media:title>
		</media:content>
	</item>
		<item>
		<title>ભારત - 1 - સ્વામી વિવેકાનન્દ</title>
		<link>http://parimiti.wordpress.com/2008/06/07/bharat/</link>
		<comments>http://parimiti.wordpress.com/2008/06/07/bharat/#comments</comments>
		<pubDate>Sat, 07 Jun 2008 17:54:10 +0000</pubDate>
		<dc:creator>Chirag</dc:creator>
		
		<category><![CDATA[ધર્મ]]></category>

		<category><![CDATA[સ્વામી વિવેકાનંદ]]></category>

		<guid isPermaLink="false">http://parimiti.wordpress.com/?p=72</guid>
		<description><![CDATA[ભારત - 1 - સ્વામી વિવેકાનન્દ
1. આપણી માતૃભુમી પ્રત્યે જગતનું રુણ અત્યંત મોટું છે. અને પ્રત્યેક દેશ સાથે સરખાવતાં ખ્યાલ આવશે કે જગત જેટલું આ સહનશીલ હીન્દુનું - નરમ હીન્દુનું રુણી છે તેટલું આ પૃથ્વી પરની બીજી કોઈપણ પ્રજાનું નથી.
2. ભારતીય વીચાર, ભારતીય રીતરીવાજો, ભારતીય ફીલસુફી અને ભારતીય સાહીત્ય ઘણા લોકોને પહેલી નજરે ઘૃણાસ્પદ લાગે; [...]]]></description>
			<content:encoded><![CDATA[<div class='snap_preview'><br /><p><strong>ભારત - 1 - સ્વામી વિવેકાનન્દ</strong></p>
<p>1. આપણી માતૃભુમી પ્રત્યે જગતનું રુણ અત્યંત મોટું છે. અને પ્રત્યેક દેશ સાથે સરખાવતાં ખ્યાલ આવશે કે જગત જેટલું આ સહનશીલ હીન્દુનું - નરમ હીન્દુનું રુણી છે તેટલું આ પૃથ્વી પરની બીજી કોઈપણ પ્રજાનું નથી.</p>
<p>2. ભારતીય વીચાર, ભારતીય રીતરીવાજો, ભારતીય ફીલસુફી અને ભારતીય સાહીત્ય ઘણા લોકોને પહેલી નજરે ઘૃણાસ્પદ લાગે; પરંતુ જો તેઓ ખંત કેળવે, અભ્યાસ ચાલુ રાખે અને આ વીચારોની પાછળ રહેલા મહાન સીધ્ધાંતોનો પરીચય મેળવે તો નવ્વાણું ટકા તો એમના જાદુઈ પ્રભાવ નીચે અવશ્ય આવી જાય અને મુગ્ધતાનો ભાવ અનુભવે.</p>
<p>3. પણ, જેમ જેમ હું વયમાં મોટો થતો જાઉં છું, તેમ તેમ ભારતની આ પ્રાચીન સંસ્થાઓને વધુ સારી રીતે હું સમજતો થાઉં છું એવું મને લાગે છે. એવો પણ સમય હતો કે જ્યારે હું માનતો હતો કે આમાંથી ઘણી ખરી સંસ્થાઓ નીરુપયોગી અને વ્યર્થ છે, પરંતુ જેમ જેમ મારી ઉંમર વધતી જાય છે તેમ તેમ એમાંથી કોઈને પણ ઉતારી પાડવાનો મારો ઉત્સાહ મન્દ પડતો જણાય છે. કારણ કે આવી પ્રત્યેક સંસ્થા એ અનેક સૈકાઓના અનુભવોનું મુર્ત સ્વરુપ છે.</p>
<p>4. મારી આ વાતમાં શ્રધ્ધા રાખો કે બીજા દેશો તો ધર્મની મોટી ચર્ચા કરે છે, પરંતુ જેણે ધર્મને પોતાના જીવનમાં ઉતાર્યો છે એવો વ્યવહારદક્ષ ધર્મપુરુષ તો કેવળ ભારતીય જ જોવા મળશે.</p>
<p>5. મેં કહ્યું છે કે જગતને શીખવી શકીએ એવું કંઈક હજી પણ આપણી પાસે છે. સેંકડો વર્ષોના જુલ્મો અને હજારો વર્ષોથી પરદેશી શાસન અને સીતમો સહન કરીને પણ આ દેશ આજ સુધી ટકી રહ્યો છે તેનું એ જ કારણ છે. આ રાષ્ટ્ર હજી જીવંત છે; એના અસ્તીત્વનું હાર્દ એ છે કે હજી પણ ઈશ્વરને, ધર્મ અને આધ્યાત્મીક્તાના અમુલ્ય નીધીને વળગી રહ્યો છે.</p>
<p>6. આ દેશમાં હજી પણ ધર્મ અને આધ્યાત્મીક્તા એ એવા સ્ત્રોતો છે કે જેમણે પશ્ચીમનાં તેમજ અન્ય રાષ્ટ્રોમાં નવજીવન અને નવશક્તીનો સંચાર કરવા માટે ઉભરાઈને પુરની માફક આખા જગતમાં રેલાઈ જવું પડશે. રાજકીય મહત્ત્વકાન્ક્ષાઓ અને સામાજીક કાવાદાવાને કારણે આ રાષ્ટ્રો આજે લગભગ ઝુકી ગયેલાં, અધમુવાં અને પતીત બની ગયાં છે.</p>
<p>7. પણ ખ્યાલ રાખજો કે જો તમે એ આધ્યાત્મીક્તાને છોડી દેશો અને પશ્ચીમની જડવાદી સંસ્કૃતીનું અનુસરણ કરવા માટે એને બાજુએ હડસેલી મુકશો તો પરીણામ એ આવશે કે ત્રણ પેઢીની અન્દર એક જાતી તરીકે તમારી હસ્તી મટી જશે, જેના ઉપર રાષ્ટ્રની ઈમારતનું ચણતર થયું છે એ પાયો નબળો પડી જશે અને પરીણામે સર્વત્ર વીનાશ ફેલાઈ જશે.</p>
<p>8. ભૌતીક શક્તીનાં કેન્દ્ર સમું યુરોપ જો પોતાની સ્થીતીમાં પરીવર્તન કરવાની, પોતાનો આદર્શ બદલવાની સાવધાની નહીં દાખવે અને આધ્યાત્મીક્તાને પોતાના જીવનનો પાયો નહીં બનાવે તો પચાસ વર્ષોની અન્દર તે ધુળભેગું થઈ જશે; અને એમાંથી એને તારશે ઉપનીષદોનો ધર્મ.</p>
<p>9. આપણા ઉચ્ચ વર્ગના પુર્વજો એ દેશના સામાન્ય લોકોને એટલી હદે પોતાના પગ તળે કચડતા ચાલ્યા કે આ સામાન્ય લોકો લાચાર બની ગયા; એ બીચારા દરીદ્ર લોકો યાતના ભોગવી ભોગવીને લગભગ ભુલી ગયા કે અમે પણ માણસો છીએ. સૈકાઓ સુધી કેવળ લાકડાં કાપનારા કઠીયારા કે પાણી ખેંચનારા ભીસ્તીઓ તરીકે રહેવાની તેમના ઉપર ફરજ લાદવામાં આવી છે - અને તે એટલે સુધી કે તેઓ ઉપર એવી માન્યતા ઠોકી બેસાડવામાં આવી છે કે અમે તો ગુલામો, કઠીયારા કે ભીસ્તીઓ રહેવા માટે જ સર્જાયા છીએ.</p>
<p>10. ઉપનીષદનાં સત્યો તમારી સમક્ષ ખડાં છે. જો તેમને અપનાવશો, આચરણમાં ઉતારશો તો સમજી લેજો કે ભારતનો ઉધ્ધાર હાથવેંતમાં જ છે.</p>
<p>&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8211;<br />
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશીત પુસ્તીકામાંથી સાભાર&#8230;</p>
<img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/categories/parimiti.wordpress.com/72/" /> <img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/tags/parimiti.wordpress.com/72/" /> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gocomments/parimiti.wordpress.com/72/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/comments/parimiti.wordpress.com/72/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godelicious/parimiti.wordpress.com/72/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/delicious/parimiti.wordpress.com/72/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gostumble/parimiti.wordpress.com/72/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/stumble/parimiti.wordpress.com/72/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godigg/parimiti.wordpress.com/72/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/digg/parimiti.wordpress.com/72/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/goreddit/parimiti.wordpress.com/72/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/reddit/parimiti.wordpress.com/72/" /></a> <img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=parimiti.wordpress.com&blog=1321180&post=72&subd=parimiti&ref=&feed=1" /></div>]]></content:encoded>
			<wfw:commentRss>http://parimiti.wordpress.com/2008/06/07/bharat/feed/</wfw:commentRss>
	
		<media:content url="http://a.wordpress.com/avatar/veejansh-128.jpg" medium="image">
			<media:title type="html">Chirag</media:title>
		</media:content>
	</item>
		<item>
		<title>જાગ્યા પછી શું?</title>
		<link>http://parimiti.wordpress.com/2008/05/24/jagyaa/</link>
		<comments>http://parimiti.wordpress.com/2008/05/24/jagyaa/#comments</comments>
		<pubDate>Sat, 24 May 2008 18:38:43 +0000</pubDate>
		<dc:creator>Chirag</dc:creator>
		
		<category><![CDATA[ધર્મ]]></category>

		<category><![CDATA[પર્યાવરણ]]></category>

		<category><![CDATA[વીજ્ઞાન]]></category>

		<guid isPermaLink="false">http://parimiti.wordpress.com/?p=71</guid>
		<description><![CDATA[જાગ્યા પછી શું? - ચીરાગ પટેલ May 22, 2008
મેં &#8216;જાગો&#8217; એ મથાળા હેઠળ પર્યાવરણનાં ભયસુચક સંકેતો તરફ અછડતો નીર્દેશ કર્યો હતો (http://parimiti.wordpress.com/2008/03/04/jaago/). આ લેખના અતીથીઓને &#8216;જાગ્યા&#8217; પછી શું એ પ્રશ્ન ઉગ્યો હતો. આનો જો કે &#8216;તુંડે તુંડે મતિર્ભીન્ના&#8217; ન્યાયે, જવાબ વ્યક્તીગત જુદો રહેવાનો. મારી દ્રષ્ટીએ આ જવાબ આપવા પ્રયત્ન કરું છું. અને, તમે એ પ્રમાણે [...]]]></description>
			<content:encoded><![CDATA[<div class='snap_preview'><br /><p>જાગ્યા પછી શું? - ચીરાગ પટેલ May 22, 2008</p>
<p>મેં &#8216;જાગો&#8217; એ મથાળા હેઠળ પર્યાવરણનાં ભયસુચક સંકેતો તરફ અછડતો નીર્દેશ કર્યો હતો (<a href="http://parimiti.wordpress.com/2008/03/04/jaago/">http://parimiti.wordpress.com/2008/03/04/jaago/</a>). આ લેખના અતીથીઓને &#8216;જાગ્યા&#8217; પછી શું એ પ્રશ્ન ઉગ્યો હતો. આનો જો કે &#8216;તુંડે તુંડે મતિર્ભીન્ના&#8217; ન્યાયે, જવાબ વ્યક્તીગત જુદો રહેવાનો. મારી દ્રષ્ટીએ આ જવાબ આપવા પ્રયત્ન કરું છું. અને, તમે એ પ્રમાણે તમારા તારણ કે જવાબ સુધી પહોંચી શકો છો.</p>
<p>માણસે પ્રગતીની આન્ધળી દોડમાં ભાન ભુલીને ટુંકાગાળાના જ લાભ અત્યાર સુધી લીધાં કર્યાં છે. પ્રગતીનો ઈનકાર જરાય ના હોઈ શકે. પરંતુ, એમાં પ્રમાણભાન ભુલી જવાથી કેવા દુઃષ્પરીણામ આવે એ સત્ય આપણને કુદરત બહુ જ કડવી દવા રુપે પાઈ રહી છે. </p>
<p>આપણી આખી સૃષ્ટી એક ચક્રમાં સંકળાયેલી છે. એક જીવનું અસ્તીત્વ બીજા જીવ પર નીર્ભર છે (જીવો જીવસ્ય ભોજનમ). આ સંતુલન ખુબ જ નાજુક દોરે જોડાયેલું છે. આ કાચા તાંતણાને મનુષ્ય કાયમ છેડતો આવ્યો છે. દુરનાં ભુતકાળમાં સૃષ્ટી પર કોઈને કોઈ પ્રાણી આધીપત્ય સ્થાપતું જ રહ્યું છે, અને કુદરતને છ્ંછેડવાની સજારુપે પોતાનાં અસ્તીત્વનું બલીદાન આપતું આવ્યું છે. માનવી પણ એ જ રસ્તે દોડી રહ્યો છે.</p>
<p>&#8216;ચિત્રલેખા&#8217; સાપ્તાહીકના 26 મે, 2008ના અંકમાં આદરણીય ગુણવંત શાહના &#8216;કાર્ડિયોગ્રામ&#8217; લેખમાળામાંથી અવતરણ ટાંકું છું. </p>
<p>&#8220;આજે નહીં ને કાલે કે પરમ દીવસે આપણે આપણી જીવનશૈલી બદલવી પડશે. વીદ્યુતનો, કાગળનો, ગૅસનો અને પાણીનો બગાડ અટકાવવો પડશે. ઉર્જા કંઈ આપણા પરમ પુજ્ય પીતાશ્રીની માલીકીની નથી. પૈસા ખર્ચી શકે એવા માલદાર લલ્લુને ઉર્જાનો બગાડ કરવાની છુટ નથી. સ્વીચ ઑફ કરવામાં કેટલી તકલીફ પડે? જે ઓરડામાં કોઈ નથી એવા ઓરડામાં પણ એસી શા માટે ચાલ્યા કરે? જ્યારે પ્રધાનનું વીજળીબીલ સરકાર ભરતી હોય ત્યારે કોના ફાધરની દીવાળી?&#8221;</p>
<p>&#8220;સ્વામી સ્વચ્છતાનન્દજી પોતાના ઉપદેશમાં નાગરીકોને સ્વચ્છતા એ નવી ધાર્મીક્તા છે એવું ક્યારે સમજાવશે?&#8221;</p>
<p>&#8220;આપણી બગાડવૃત્તી અને લાપરવાહી હવે ભુતકાળની ચીજ બની જવી જોઈએ, કારણ કે પૃથ્વીને આપણે કંઈ માતા-પીતા પાસેથી વારસામાં નથી મેળવી. એ તો આપણને આપણાં સંતાનો તરફથી ઉછીની મળી છે. (ટાઈમ મેગેઝીન, ન્યુ યોર્ક, 3 ડીસેમ્બર, 1990)&#8221;</p>
<p>આ ઉપરાંત હું એક સામાન્ય કામગીરી પ્રત્યે ધ્યાન દોરવા માંગું છું. પૃથ્વીના સંતુલન માટે અને પ્રાણીઓના ખોરાક માટે વનસ્પતી એક ખુબ જ જરુરી અને પાયાનું અંગ છે. આપણે વૃક્ષોનું જે હદે નીકન્દન કાઢી રહ્યાં છીએ, એ ઘણી ઘણી જ ચીંતાજનક બાબત છે. </p>
<p>તો શું કરશો? જે લોકો ઝાડ કાપવા માંગે છે, તેમને સમજાવો. જો વૃક્ષનો થોડોક ભાગ કાપવાથી કામ ચાલતું હોય તો એટલું જ કરો. નવા નવા વૃક્ષો ઉછેરો અને એનું સંવર્ધન કરો. આપણી આસપાસ ઉગતાં વૃક્ષોની જાળવણી કરો. ગન્દકીને કટ્ટર ધાર્મીક્તાની રીતે દુર રાખો. દરેક પ્રસંગે એક વૃક્ષ ઉગાડીને એને સાચવવાનું પ્રણ બનાવો. જે દીવસે વૃક્ષની જાળવણી ના કરી શક્યા હો એ દીવસે પ્રાર્થના કરવાથી દુર રહો.</p>
<p>અમેરીકા સદભાગી છે કે ત્યાં વનસ્પતી અને પર્યાવરણની જાળવણી કરનારા કડક કાયદા બનાવી શક્યા છે. (ભલે પછી, દુનીયામાં સહુથી વધુ બગાડ અમેરીકનો કરતા હોય. હકીકત છે કે, એમેઝોન અને કોંગોના વનપ્રદેશની જેમ અમેરીકામાં રહેઠાણની આસપાસ બીલ્ડર વૃક્ષો ઉગાડી અને ઉછેરી શક્યા વગર ઘર નથી વેચી શકતો.) ભારતનું દુર્ભાગ્ય છે કે આવા કોઈ કાયદા નથી. અને લોકોને તો પર્યાવરણ અને ગન્દકીની જાણે પડી જ નથી. માત્ર બાહ્ય શુધ્ધીના દેખાડાથી જ આપણી ધાર્મીક્તા પોષાય છે. દરેક બાબતમાં સરકારનો દોષ જોવાને બદલે આપણે કોઈ નક્કર કામ કરી શકીશું?</p>
<p>&#8212; આજનો લેખ મારા વડોદરાનાં ઘરને આંગણે ઉછરી રહેલાં વૃક્ષોને અર્પણ કરું છું. મારા સદભાગ્યે હું બાળપણનો મોટો સમય વાંસદા જેવા ગાઢ વનરાજીથી આચ્છાદીત સ્થળમાં વીતાવી શક્યો છું. અમારા ઘરને &#8216;ઉપવન&#8217; બનાવવામાં મારા સદ્ગત પપ્પાની દુરન્દેશી કામ કરી ગઈ હતી.</p>
<img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/categories/parimiti.wordpress.com/71/" /> <img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/tags/parimiti.wordpress.com/71/" /> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gocomments/parimiti.wordpress.com/71/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/comments/parimiti.wordpress.com/71/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godelicious/parimiti.wordpress.com/71/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/delicious/parimiti.wordpress.com/71/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gostumble/parimiti.wordpress.com/71/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/stumble/parimiti.wordpress.com/71/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godigg/parimiti.wordpress.com/71/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/digg/parimiti.wordpress.com/71/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/goreddit/parimiti.wordpress.com/71/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/reddit/parimiti.wordpress.com/71/" /></a> <img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=parimiti.wordpress.com&blog=1321180&post=71&subd=parimiti&ref=&feed=1" /></div>]]></content:encoded>
			<wfw:commentRss>http://parimiti.wordpress.com/2008/05/24/jagyaa/feed/</wfw:commentRss>
	
		<media:content url="http://a.wordpress.com/avatar/veejansh-128.jpg" medium="image">
			<media:title type="html">Chirag</media:title>
		</media:content>
	</item>
		<item>
		<title>પ્રેમ અને નીઃસ્વાર્થતા - 3</title>
		<link>http://parimiti.wordpress.com/2008/05/07/prem3/</link>
		<comments>http://parimiti.wordpress.com/2008/05/07/prem3/#comments</comments>
		<pubDate>Thu, 08 May 2008 02:22:55 +0000</pubDate>
		<dc:creator>Chirag</dc:creator>
		
		<category><![CDATA[ધર્મ]]></category>

		<category><![CDATA[સ્વામી વિવેકાનંદ]]></category>

		<guid isPermaLink="false">http://parimiti.wordpress.com/?p=70</guid>
		<description><![CDATA[પ્રેમ અને નીઃસ્વાર્થતા - 3 - સ્વામી વિવેકાનન્દ
21. હું વારંવાર જન્મ ધારણ કરવા અને હજારો યાતનાઓ ભોગવવા ઈચ્છું છું કે, જેથી જેની એકની જ હસ્તી છે અને જે એકમાં જ મને શ્રધ્ધા છે એવા સર્વ જીવોની સમશ્ટીરુપ ઈશ્વરની હું પુજા કરી શકું; અને સૌથી વીશેશ તો સર્વ જાતીઓ અને સર્વ જીવોના દુશ્ટોમાં, દુઃખીઓમાં અને દરીદ્રોમાં [...]]]></description>
			<content:encoded><![CDATA[<div class='snap_preview'><br /><p><strong>પ્રેમ અને નીઃસ્વાર્થતા - 3 - સ્વામી વિવેકાનન્દ</strong></p>
<p>21. હું વારંવાર જન્મ ધારણ કરવા અને હજારો યાતનાઓ ભોગવવા ઈચ્છું છું કે, જેથી જેની એકની જ હસ્તી છે અને જે એકમાં જ મને શ્રધ્ધા છે એવા સર્વ જીવોની સમશ્ટીરુપ ઈશ્વરની હું પુજા કરી શકું; અને સૌથી વીશેશ તો સર્વ જાતીઓ અને સર્વ જીવોના દુશ્ટોમાં, દુઃખીઓમાં અને દરીદ્રોમાં રહેલો એવો મારો ઈશ્વર એ મારી વીશેશ પુજાનો વીશય છે.</p>
<p>22. જ્યારે આપણામાં સ્વાર્થવૃત્તીનો અભાવ હોય ત્યારે આપણું સર્વોત્તમ કાર્ય પરીપુર્ણ થાય છે અને આપણો શ્રેશ્ઠ પ્રભાવ સીધ્ધ થાય છે.</p>
<p>23. જગતના ધર્મો એ નીઃશ્પ્રાણ મશ્કરીઓ જેવા થઈ પડ્યા છે. જગતને જરુર છે ચારીત્ર્યની; જેમનું જીવન ઉત્કટ પ્રેમ અને નીઃસ્વાર્થતાથી પરીપુર્ણ હોય એવા મનુશ્યોની. એવો પ્રેમ પ્રત્યેક શબ્દને વજ્રની જેમ પ્રભાવ પાથરતો કરી મુકશે.</p>
<p>24. સર્વશ્રેશ્ઠ જીવનનો નીયમ છે આત્મત્યાગ, આત્માભીમાન નહી.</p>
<p>25. ઉત્કટ આત્મત્યાગમાંથી જ ધર્મનો ઉદય થાય છે. પોતાના કાજે કશી જ ઈચ્છા ન રાખો. અન્ય કાજે બધું જ કાર્ય કરો. આનું જ નામ ઈશ્વરમાં સ્થીતી, ગતી અને હસ્તી હોવી એ.</p>
<p>26. કોઈ પણ મનુશ્ય મુક્તી વીહોણો રહી જશે નહી. આખરે સૌને પુર્ણતાની પ્રાપ્તી થશે. અહર્નીશ ઘોશણા કરો: &#8220;આવો, મારા બન્ધુઓ! તમે નીર્મળતાના અનંત મહાસાગર છો! શીવરુપ બનો! તમારા ઈશ્વરરુપને પ્રગટ કરો!&#8221;</p>
<p>&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8211;<br />
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશીત પુસ્તીકામાંથી સાભાર&#8230;</p>
<img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/categories/parimiti.wordpress.com/70/" /> <img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/tags/parimiti.wordpress.com/70/" /> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gocomments/parimiti.wordpress.com/70/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/comments/parimiti.wordpress.com/70/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godelicious/parimiti.wordpress.com/70/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/delicious/parimiti.wordpress.com/70/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gostumble/parimiti.wordpress.com/70/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/stumble/parimiti.wordpress.com/70/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godigg/parimiti.wordpress.com/70/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/digg/parimiti.wordpress.com/70/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/goreddit/parimiti.wordpress.com/70/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/reddit/parimiti.wordpress.com/70/" /></a> <img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=parimiti.wordpress.com&blog=1321180&post=70&subd=parimiti&ref=&feed=1" /></div>]]></content:encoded>
			<wfw:commentRss>http://parimiti.wordpress.com/2008/05/07/prem3/feed/</wfw:commentRss>
	
		<media:content url="http://a.wordpress.com/avatar/veejansh-128.jpg" medium="image">
			<media:title type="html">Chirag</media:title>
		</media:content>
	</item>
		<item>
		<title>પ્રેમ અને નીઃસ્વાર્થતા - 2</title>
		<link>http://parimiti.wordpress.com/2008/04/27/prem/</link>
		<comments>http://parimiti.wordpress.com/2008/04/27/prem/#comments</comments>
		<pubDate>Sun, 27 Apr 2008 17:22:37 +0000</pubDate>
		<dc:creator>Chirag</dc:creator>
		
		<category><![CDATA[ધર્મ]]></category>

		<category><![CDATA[સ્વામી વિવેકાનંદ]]></category>

		<guid isPermaLink="false">http://parimiti.wordpress.com/?p=69</guid>
		<description><![CDATA[પ્રેમ અને નીઃસ્વાર્થતા - 2 - સ્વામી વિવેકાનન્દ
11. આ જીવન અલ્પકાલીન છે, સંસારના મોજશોખો ક્ષણભંગુર છે; પણ જેઓ બીજા માટે જીવે છે તેઓ જ ખરેખર જીવે છે, બાકીના લોકો તો જીવતા કરતાં વીશેશ મરેલા છે.
12. જે ધર્મ કે જે ઈશ્વર વીધવાનાં આંસુઓ લુછી ન શકે કે અનાથના મુખમાં રોટીનો ટુકડો મુકી ન શકે એવા ધર્મ [...]]]></description>
			<content:encoded><![CDATA[<div class='snap_preview'><br /><p><strong>પ્રેમ અને નીઃસ્વાર્થતા - 2 - સ્વામી વિવેકાનન્દ</strong></p>
<p>11. આ જીવન અલ્પકાલીન છે, સંસારના મોજશોખો ક્ષણભંગુર છે; પણ જેઓ બીજા માટે જીવે છે તેઓ જ ખરેખર જીવે છે, બાકીના લોકો તો જીવતા કરતાં વીશેશ મરેલા છે.</p>
<p>12. જે ધર્મ કે જે ઈશ્વર વીધવાનાં આંસુઓ લુછી ન શકે કે અનાથના મુખમાં રોટીનો ટુકડો મુકી ન શકે એવા ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી.</p>
<p>13. પ્રેમ કદાપી નીશ્ફળ જતો નથી બેટા; આજ નહીં તો કાલે કે યુગો પછી, સત્યનો જય થશે જ! પ્રેમની જીત થવાની જ છે. શું તમે તમારા માનવબન્ધુઓને ચાહો છો?</p>
<p>14. ઈશ્વરની શોધ બીજે ક્યાં કરવા જશો? શું બધા દીન-દુઃખી અને દુર્બળ લોકો ઈશ્વરસ્વરુપ નથી? તો એમની પુજા પ્રથમ શા માટે ન કરવી? ગંગા કાંઠે કુવો ખોદવા શા માટે જવું?</p>
<p>15. પ્રેમની સર્વશક્તીમત્તામાં શ્રધ્ધા રાખો. શું તમારી પાસે પ્રેમ છે? તો તમે સર્વશક્તીમાન છો. શું તમે સમ્પુર્ણપણે નીઃસ્વાર્થી છો? જો એવું હોય તો કોઈપણ વ્યક્તી તમારો પ્રતીકાર કરી શકે નહીં. ચારીત્ર જ સર્વત્ર ફલદાયી નીવડે છે.</p>
<p>16. મારું હ્રદય લાગણીથી એટલું બધું ભરાઈ ગયું કે હું તેને વ્યક્ત કરી શકતો નથી; તમે એ જાણો છો, તમે એની કલ્પના કરી શકો છો. જ્યાં સુધી લાખો લોકો ભુખ અને અજ્ઞાનમાં જીવે છે ત્યાં સુધી એમના ભોગે કેળવણી પામીને એમના તરફ જે લેશમાત્ર પણ ધ્યાન આપતો નથી, ગરીબોને ચુસીને કમાણી કરતા, ભપકાથી દમામભેર ફરતા, તમામ લોકોને હું પામર ગણું છું. મારા બન્ધુઓ આપણે ગરીબ છીએ. આપણી કશી જ ગણના નથી, પરંતુ આવા જ મનુશ્યો હમ્મેશાં પરમાત્માના નીમીત્તરુપ બની રહે છે.</p>
<p>17. મને મુક્તી કે ભક્તીની કશી પરવા નથી; &#8216;વસંતરુતુની જેમ (મુક રહીને) લોકહીત કરતાં કરતાં&#8217; હું લાખો નર્કોમાં જવા તૈયાર છું - આ છે મારો ધર્મ.</p>
<p>18. હું મૃત્યુ સુધી સતત કાર્ય કરતો રહીશ; અને મૃત્યુ પછી પણ જગતના કલ્યાણ માટે હું કાર્ય કરીશ. અસત્ય કરતાં સત્ય અનંતગણું વીશેશ પ્રભાવશાળી છે; અને ભલાઈનું પણ એવું જ છે. જો તમારી પાસે આ બે વસ્તુઓ હોય તો તેઓ કેવળ પોતાના પ્રભાવથી જ પોતાનો માર્ગ કાઢી શકશે.</p>
<p>19. વીકાસ એ જ જીવન અને સંકોચ એ જ મૃત્યુ. પ્રેમ એટલે વીકાસ અને સ્વાર્થ એટલે સંકોચ. એટલે પ્રેમ એ જીવનનો એકમાત્ર નીયમ છે. જે પ્રેમપુર્ણ છે તે જીવે છે; જે સ્વાર્થી છે તે મૃત્યુને આધીન થતો જાય છે. માટે પ્રેમ ખાતર પ્રેમ દાખવો, કારણ કે જે રીતે તમે જીવવા માટે શ્વાસ લ્યો છો એ જ રીતે પ્રેમ એ જીવનનો એકમાત્ર નીયમ છે. સ્વાર્થરહીત પ્રેમનું, સ્વાર્થરહીત કાર્યનું અને અન્ય તમામ વસ્તુઓનું એ જ રહસ્ય છે.</p>
<p>20. જગતને પ્રકાશ કોણ આપશે? આત્મસમર્પણ એ વીતી ગયેલા યુગોથી ચાલ્યો આવતો &#8216;મહાનીયમ&#8217; છે; ખેર! ભાવી યુગોનો પણ એ મહાનીયમ થશે. &#8216;બહુજન હીતાય, બહુજન સુખાય&#8217; પૃથ્વીના વીરતમ અને શ્રેશ્ઠ લોકોએ આત્મસમર્પણ કરવું પડશે. સનાતન પ્રેમ અને કરુણાથી પુર્ણ એવા સેંકડો બુધ્ધોની જરુર છે.</p>
<p>&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8211;<br />
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશીત પુસ્તીકામાંથી સાભાર&#8230;</p>
<img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/categories/parimiti.wordpress.com/69/" /> <img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/tags/parimiti.wordpress.com/69/" /> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gocomments/parimiti.wordpress.com/69/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/comments/parimiti.wordpress.com/69/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godelicious/parimiti.wordpress.com/69/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/delicious/parimiti.wordpress.com/69/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gostumble/parimiti.wordpress.com/69/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/stumble/parimiti.wordpress.com/69/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godigg/parimiti.wordpress.com/69/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/digg/parimiti.wordpress.com/69/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/goreddit/parimiti.wordpress.com/69/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/reddit/parimiti.wordpress.com/69/" /></a> <img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=parimiti.wordpress.com&blog=1321180&post=69&subd=parimiti&ref=&feed=1" /></div>]]></content:encoded>
			<wfw:commentRss>http://parimiti.wordpress.com/2008/04/27/prem/feed/</wfw:commentRss>
	
		<media:content url="http://a.wordpress.com/avatar/veejansh-128.jpg" medium="image">
			<media:title type="html">Chirag</media:title>
		</media:content>
	</item>
		<item>
		<title>EPR પૅરેડૉક્સ</title>
		<link>http://parimiti.wordpress.com/2008/04/04/epr_parado/</link>
		<comments>http://parimiti.wordpress.com/2008/04/04/epr_parado/#comments</comments>
		<pubDate>Sat, 05 Apr 2008 00:11:55 +0000</pubDate>
		<dc:creator>Chirag</dc:creator>
		
		<category><![CDATA[વીજ્ઞાન]]></category>

		<guid isPermaLink="false">http://parimiti.wordpress.com/?p=68</guid>
		<description><![CDATA[EPR પૅરેડૉક્સ - ચીરાગ પટેલ Apr 04, 2008
EPR paradox એક સંશોધન પત્ર તરીકે બહોળી પ્રસીધ્ધી પામ્યો છે. એને લખનાર પ્રસીધ્ધ વૈજ્ઞાનીકો આલ્બર્ટ આઈંસ્ટાઈન (Einstein), બૉરીસ પોડોલ્સ્કી (Podolsky) અને નૅથન રોઝેન (Rosen)નાં પ્રથમ અક્ષરોને સાંકળીને બનતાં ત્રણ અક્ષરો EPR નામે પ્રચલીત છે. પૅરેડૉક્સ એટલે વીરાધાભાસ અથવા અસંગતતા અથવા તાર્કીક વીસંગતતા. એક રાજાએ પોતાના ગામમાં એક વાર [...]]]></description>
			<content:encoded><![CDATA[<div class='snap_preview'><br /><p><strong>EPR પૅરેડૉક્સ</strong> - ચીરાગ પટેલ Apr 04, 2008</p>
<p><strong>EPR paradox</strong> એક સંશોધન પત્ર તરીકે બહોળી પ્રસીધ્ધી પામ્યો છે. એને લખનાર પ્રસીધ્ધ વૈજ્ઞાનીકો <strong>આલ્બર્ટ આઈંસ્ટાઈન</strong> (<strong>Einstein</strong>), <strong>બૉરીસ પોડોલ્સ્કી</strong> (<strong>Podolsky</strong>) અને <strong>નૅથન રોઝેન</strong> (<strong>Rosen</strong>)નાં પ્રથમ અક્ષરોને સાંકળીને બનતાં ત્રણ અક્ષરો EPR નામે પ્રચલીત છે. <strong>પૅરેડૉક્સ</strong> એટલે <strong>વીરાધાભાસ</strong> અથવા <strong>અસંગતતા</strong> અથવા <strong>તાર્કીક વીસંગતતા</strong>. એક રાજાએ પોતાના ગામમાં એક વાર ઢંઢેરો પીટ્યો કે, &#8220;આજ પછી ગામમાં કોઇ પણ વ્યક્તીએ જાતે હજામત ના કરવી, અને માત્ર ગામનાં વાળન્દ પાસે જ કરાવવી.&#8221; આ ઢન્ઢેરા મુજબ પેલો વાળન્દ પોતાના વાળ કાપી શકે? આવી તાર્કીક વીસંગતતા માટે પૅરેડૉક્સ શબ્દ-પ્રયોગ થાય છે.</p>
<p>EPR પૅરેડૉક્સ <strong>ક્વોંટમ વીજ્ઞાન(Quantum physics)</strong>માં 1935ની સાલ સુધીમાં રહેલી વીસંગતા તરફ અંગુલીનીર્દેશ કરે છે. પછી તો, આ સંશોધનપત્ર એક નવા જ ખ્યાલને માટે નીમીત્ત બન્યો. આજે આપણે માત્ર આ પત્રમાં રહેલી માહીતીને સરળ ઉદાહરણથી સમજવા પ્રયત્ન કરીશું.</p>
<p>એક સીધી રેખામાં અમુક અંતરની કલ્પના કરો. ધારો કે, 10 મીટર. એના એક છેડે કનીશ્કાને બેઠેલી કલ્પો અને બીજે છેડે ખ્યાતીને બેઠેલી કલ્પો. ધારો કે, કનીશ્કા પાસે એક <strong>લોહચુમ્બક</strong> (<strong>magnet</strong>) હાથમાં પકડેલું છે. આ ચુમ્બક ધારો કે અંગ્રેજી C આકારનું છે, અને કનીશ્કાએ એની ખુલ્લી બાજુને નીચે તરફ રહે એ રીતે પકડેલું છે. એટલે કે, Cની પીઠ આકાશ તરફ રહે એમ પકડ્યું છે. હવે ધારો કે, ખ્યાતી પાસે ઈલેક્ટ્રોનનો ગતીપથ નોંધી શકાય એવો કૅમેરા છે. વળી, ધારો કે, 10 મીટરની કાલ્પનીક રેખાનાં મધ્યબીન્દુએ ઈલેક્ટ્રોનનું ઉદ્ગમસ્થાન છે. અને ઉદ્ગમ પણ પાછું એવું છે કે, એમાંથી માત્ર <strong>ઈલેક્ટ્રોન</strong> જોડકાં જ ઉદ્ભવે છે. ક્વૉંટમ સીધ્ધાંત મુજબ, એક જ ઉદ્ગમમાંથી ઉદ્ભવતાં કણો વીરુધ્ધ દીશામાં અને સરખી ઉર્જાથી ગતી કરે. એટલે, આપણે એવું ધારીએ કે, એક સાથે નીકળતાં જોડકાંમાંથી એક ઈલેક્ટ્રોન કનીશ્કાએ હાથમાં પકડેલાં ચુમ્બકની દીશામાં જાય છે, તો એ જ સમયે બીજો ઈલેક્ટ્રોન ખ્યાતીની દીશામાં જશે. બન્ને એક જ સમયે કનીશ્કા કે ખ્યાતી સુધી પહોંચશે.</p>
<p>હવે, કમાલ જોઈએ. ઈલેક્ટ્રોનનો એક ગુણધર્મ છે, વીજચુમ્બકીયબળોની અસર તળે ગતીપથ બદલવાનો. કનીશ્કાએ પકડેલાં ચુમ્બકમાંથી પસાર થવાની સાથે જ સીધી રેખામાં આવી રહેલો ઈલેક્ટ્રોન જમણી બાજુ પલટાઈ જશે. અને લો, બીજી બાજુ જ્યારે ખ્યાતી ફોટો પાડે છે ત્યારે, એ બાજુનો ઈલેક્ટ્રોન એ જ સમયે ડાબી બાજુ વળી જાય છે! હજી ક્લાઈમૅક્સ હવે આવે છે. એવું માની લઈએ કે, પ્રયોગની શરુઆતમાં દરેક સ્થીતી વીશેની માહીતી અસ્તીત્વમાં હતી - જેમ કે, કનીશ્કા અને ખ્યાતીનું અંતર અને દીશા, ચુમ્બકની સ્થીતી, વગેરે. પણ, ધારો કે, ઈલેક્ટ્રોનનું એક નવું જોડકું ઉદ્ગમમાંથી નીકળી ચુક્યું છે, અને કનીશ્કા એકાએક ચુમ્બક્ની પીઠને ફેરવીને ઉભી ગોઠવે છે (90 અંશની ફેરબદલ). તો આ સંજોગોમાં કનીશ્કાના ચુમ્બક પાસે આવેલો ઈલેક્ટ્રોન જમીન તરફની દીશામાં ફંટાઈ જશે! અને ખ્યાતીનો કૅમેરો જોશે કે એની તરફનો ઈલેક્ટ્રોન આકાશની દીશામાં ફંટાઈ જાય છે!!!</p>
<p>માની શકાય છે? પ્રાયોગીક રીતે આ બાબત ઘણાં વૈજ્ઞાનીકોએ સાબીત કરી છે. પણ આવું કેવી રીતે બની શકે? શું ઈલેક્ટ્રોન એકબીજા સાથે માહીતીની આપ-લે કરે છે? આ આપ-લે માટે એમણે પ્રકાશની ગતી કરતાં વધુ ઝડપે માહીતી મોકલવી પડે, જે પદાર્થનાં કણ માટે શક્ય નથી. તો શું ઈલેક્ટ્રોન ભુત છે? ના. વીચારજો. ફરી ક્યારેક આ બાબતે ચર્ચા કરીશું. EPR સંશોધનપત્રે એક નવી જ દીશાનાં દ્વાર ખોલી આપ્યાં હતાં.</p>
<p>વધુ માહીતી: <a href="http://en.wikipedia.org/wiki/EPR_paradox">http://en.wikipedia.org/wiki/EPR_paradox</a></p>
<img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/categories/parimiti.wordpress.com/68/" /> <img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/tags/parimiti.wordpress.com/68/" /> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gocomments/parimiti.wordpress.com/68/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/comments/parimiti.wordpress.com/68/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godelicious/parimiti.wordpress.com/68/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/delicious/parimiti.wordpress.com/68/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gostumble/parimiti.wordpress.com/68/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/stumble/parimiti.wordpress.com/68/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godigg/parimiti.wordpress.com/68/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/digg/parimiti.wordpress.com/68/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/goreddit/parimiti.wordpress.com/68/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/reddit/parimiti.wordpress.com/68/" /></a> <img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=parimiti.wordpress.com&blog=1321180&post=68&subd=parimiti&ref=&feed=1" /></div>]]></content:encoded>
			<wfw:commentRss>http://parimiti.wordpress.com/2008/04/04/epr_parado/feed/</wfw:commentRss>
	
		<media:content url="http://a.wordpress.com/avatar/veejansh-128.jpg" medium="image">
			<media:title type="html">Chirag</media:title>
		</media:content>
	</item>
		<item>
		<title>પ્રેમ અને નીઃસ્વાર્થતા - 1</title>
		<link>http://parimiti.wordpress.com/2008/03/22/prem1/</link>
		<comments>http://parimiti.wordpress.com/2008/03/22/prem1/#comments</comments>
		<pubDate>Sat, 22 Mar 2008 21:09:09 +0000</pubDate>
		<dc:creator>Chirag</dc:creator>
		
		<category><![CDATA[ધર્મ]]></category>

		<category><![CDATA[સ્વામી વિવેકાનંદ]]></category>

		<guid isPermaLink="false">http://parimiti.wordpress.com/2008/03/22/prem1/</guid>
		<description><![CDATA[પ્રેમ અને નીઃસ્વાર્થતા - 1 સ્વામી વિવેકાનન્દ
1. નીઃસ્વાર્થતા વધુ લાભદાયક છે, પરંતુ તેનું આચરણ કરવા જેટલું ધૈર્ય લોકોમાં હોતું નથી.
2. ઉચ્ચ સ્થાન ઉપર ઉભા રહીને અને હાથમાં થોડાક પૈસા રાખીને ગરીબ માણસને એમ નહીં કહો, &#8220;આવ, આ લે ભાઈ,&#8221; પરંતુ ઉપકાર માનો કે ગરીબ માણસ સામે ખડો છે એટલે તમે તેને દાન આપીને તમારી જાતને [...]]]></description>
			<content:encoded><![CDATA[<div class='snap_preview'><br /><p><strong>પ્રેમ અને નીઃસ્વાર્થતા - 1</strong> <strong>સ્વામી વિવેકાનન્દ</strong></p>
<p>1. નીઃસ્વાર્થતા વધુ લાભદાયક છે, પરંતુ તેનું આચરણ કરવા જેટલું ધૈર્ય લોકોમાં હોતું નથી.</p>
<p>2. ઉચ્ચ સ્થાન ઉપર ઉભા રહીને અને હાથમાં થોડાક પૈસા રાખીને ગરીબ માણસને એમ નહીં કહો, &#8220;આવ, આ લે ભાઈ,&#8221; પરંતુ ઉપકાર માનો કે ગરીબ માણસ સામે ખડો છે એટલે તમે તેને દાન આપીને તમારી જાતને જ સહાય કરી શકો છો. લેનાર નહીં પણ દેનાર જ ધન્ય છે. ઉપકાર માનો કે આ જગતમાં તમારી ઉદારતા તથા દયાની શક્તીને પ્રગટ કરવાનો અને એ રીતે શુધ્ધ અને પુર્ણ બનવાનો તમને અવસર પ્રાપ્ત થયો છે.</p>
<p>3. બીજાનું ભલું કરવાના સતત પ્રયત્નો કરીને આપણે પોતાની જાતને ભુલી જવા મથીએ છીએ; આ રીતે પોતાની જાતને ભુલી જવી એ જીવનમાં આપણે શીખવાનો એક મહાન બોધપાઠ છે. માણસ એવું માનવાની મુર્ખાઈ કરે છે કે પોતે પોતાને સુખી કરી શકશે, પણ વર્શોના સંઘર્શ પછી આખરે તેને સમજાય છે કે સાચું સુખ તો સ્વાર્થત્યાગમાં રહેલું છે. અને પોતાના સીવાય અન્ય કોઈ માણસ તેને સુખી કરી શકશે નહીં.</p>
<p>4. સ્વાર્થ એટલે અનીતી, અને સ્વાર્થત્યાગ એટલે નીતી.</p>
<p>5. ખ્યાલ રાખો કે સમગ્ર જીવન એટલે આપતાં રહેવું તે. પ્રકૃતી જ તમને આપતાં રહેવાની ફરજ પાડશે. એટલે રાજીખુશીથી આપો&#8230;. તમે સંગ્રહ કરવા માટે જીવન ધારણ કર્યું છે. મુઠ્ઠી ભરીને તમે બધું લઈ લેવા ઈચ્છો છો. પરંતુ પ્રકૃતીનો પંજો તમારા ગળા ઉપર પડે છે. અને તમારા હાથની મુઠ્ઠી ઉઘડાવે છે. તમે ઈચ્છો કે ન ઈચ્છો, તમારે આપવું જ પડશે. જે ક્ષણે તમે કહો છો &#8216;હું નહીં આપું&#8217; તે જ ક્ષણે ફટકો પડે છે; તમે ઝખ્મી બનો છો, આ જગતમાં એવું કોઈ પણ નથી કે જેને આખરે તો બધું છોડી દેવાની ફરજ ન પડે.</p>
<p>6. તમામ પુજા-ઉપાસનાનો સાર છે - શુદ્ધ થવું અને બીજાનું ભલું કરવું. જે મનુશ્ય દીનદુર્બળ અને રોગી લોકોમાં શીવનું દર્શન કરે છે એ જ સાચા અર્થમાં શીવનો ઉપાસક છે; પરંતુ જો તે કેવળ મુર્તીમાં જ શીવનું દર્શન કરતો હોય તો તેની ઉપાસના કેવળ પ્રાથમીક દશાની છે.</p>
<p>7. નીઃસ્વાર્થવૃત્તી જ ધર્મની કસોટી છે. જે મનુશ્યમાં આવી નીઃસ્વાર્થવૃત્તી વધારે પ્રમાણમાં હોત તે વધુ આધ્યાત્મીક અને શીવ ભગવાનની વધુ સમીપ છે&#8230; જો કોઈ મનુશ્ય સ્વાર્થી હોય, પછી ભલે તે બધાય મન્દીરોમાં જતો હોય, ભલે બધાં તીર્થધામોની યાત્રા તેણે કરી હોય અને ભલે એ દીપડાની માફક પોતાની જાતને અનેક ટીલાંટપકાંથી શણગારી હોય, તો પણ ભગવાન શીવથી તે ઘણો ઘણો દુર છે.</p>
<p>8. હું કેવળ પ્રેમ અને પ્રેમનો જ ઉપદેશ આપું છું - અને પરબ્રહ્મની એકતા અને સર્વવ્યાપકતાનું વેદાંતનું મહાન સત્ય એ મારા ઉપદેશનો પાયો છે.</p>
<p>9. પહેલાં અન્ન પછી ધર્મ. જ્યારે ગરીબ લોકો ભુખે મરતા હોય છે ત્યારે આપણે તેના ઉપર વધુ પડતો ધર્મ લાદીએ છીએ. મતવાદોથી કંઈ ભુખની જ્વાળા શાંત પડે નહીં&#8230; તમે ભલે લાખો સીધ્ધાંતોની વાત કરો, તમે ભલે કરોડો સમ્પ્રદાયો ઉભા કરો, પણ જ્યાં સુધી તમારી પાસે સંવેદનશીલ હ્રદય ન હોય, વેદના ઉપદેશ પ્રમાણે જ્યાં સુધી એમના માટે લાગણી ન ધરાવો, જ્યાં સુધી તમને એવું ભાન ન થાય કે તેઓ તમારા શરીરના અંગરુપ છે, જ્યાં સુધી તમને એવું ભાન ન થાય કે તમે સૌ, રંક અને ધનીક, સંત અને પાપી એ તમામ, જેને તમે બ્રહ્મ કહો છો એવા એક અનંત વીરાટના ભાગરુપ છો, ત્યાં સુધી એ બધું વ્યર્થ છે.</p>
<p>10. દુઃખી મનુશ્યો માટે લાગણી ધરાવો અને એમને સહાય પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરો - એવી સહાય અવશ્ય મળશે. મારા હ્રદય ઉપર આ ભાર રાખીને અને મારા મસ્તીશ્કમાં આ ખ્યાલનું સેવન કરીને મેં બાર બાર વર્શ સુધી ભ્રમણ કર્યું. કહેવાતા ધનીકો અને મોટા માણસોના બારણે હું ગયો. સહાયની શોધમાં લોહી નીંગળતે હ્રદયે અડધી દુનીયા ઓળંગીને હું આ અજાણી ભુમીમાં આવ્યો. પ્રભુ મહાન છે. હું જાણું છું કે એ મને સહાય કરશે. હું આ ભુમીમાં ઠંડી કે ભુખથી ભલે મૃત્યુ પામું. પરંતુ, હે નવયુવાનો, હું તમને વારસામાં ગરીબ, અજ્ઞાન અને પીડીત લોકો માટે આવી સહાનુભુતી, આવો સંઘર્શ મુકતો જાઉં છું.</p>
<p>&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;-<br />
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશીત પુસ્તીકામાંથી સાભાર&#8230;</p>
<img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/categories/parimiti.wordpress.com/67/" /> <img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/tags/parimiti.wordpress.com/67/" /> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gocomments/parimiti.wordpress.com/67/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/comments/parimiti.wordpress.com/67/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godelicious/parimiti.wordpress.com/67/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/delicious/parimiti.wordpress.com/67/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gostumble/parimiti.wordpress.com/67/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/stumble/parimiti.wordpress.com/67/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godigg/parimiti.wordpress.com/67/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/digg/parimiti.wordpress.com/67/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/goreddit/parimiti.wordpress.com/67/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/reddit/parimiti.wordpress.com/67/" /></a> <img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=parimiti.wordpress.com&blog=1321180&post=67&subd=parimiti&ref=&feed=1" /></div>]]></content:encoded>
			<wfw:commentRss>http://parimiti.wordpress.com/2008/03/22/prem1/feed/</wfw:commentRss>
	
		<media:content url="http://a.wordpress.com/avatar/veejansh-128.jpg" medium="image">
			<media:title type="html">Chirag</media:title>
		</media:content>
	</item>
		<item>
		<title>જાગો</title>
		<link>http://parimiti.wordpress.com/2008/03/04/jaago/</link>
		<comments>http://parimiti.wordpress.com/2008/03/04/jaago/#comments</comments>
		<pubDate>Tue, 04 Mar 2008 20:30:38 +0000</pubDate>
		<dc:creator>Chirag</dc:creator>
		
		<category><![CDATA[પર્યાવરણ]]></category>

		<guid isPermaLink="false">http://parimiti.wordpress.com/2008/03/04/jaago/</guid>
		<description><![CDATA[જાગો - ચીરાગ પટેલ Mar 04, 2008
થોડી ઘટનાઓ, જે આપણી ચોતરફ અને આપણી જાણબહાર ઘટી રહી છે (અથવા આપણે જાણતાં જ અજાણી કરી દીધી છે):
1. છેલ્લાં 2 વર્શથી ઉત્તર-પુર્વ અમેરીકામાં ફૉલ (Fall) રુતુનાં દીવસો ઘટી રહ્યાં છે. મુખ્યત્વે ગરમીના દીવસો વધવાથી આમ થયું છે.
2. ગ્રીનલૅંડમાં ગયા વર્શે 6 ઘન-માઈલ કદ ધરાવતો વીશાળકાય બરફનો ટુકડો તુટી [...]]]></description>
			<content:encoded><![CDATA[<div class='snap_preview'><br /><p><strong>જાગો - ચીરાગ પટેલ Mar 04, 2008</strong></p>
<p>થોડી ઘટનાઓ, જે આપણી ચોતરફ અને આપણી જાણબહાર ઘટી રહી છે (અથવા આપણે જાણતાં જ અજાણી કરી દીધી છે):</p>
<p>1. છેલ્લાં 2 વર્શથી ઉત્તર-પુર્વ અમેરીકામાં ફૉલ (Fall) રુતુનાં દીવસો ઘટી રહ્યાં છે. મુખ્યત્વે ગરમીના દીવસો વધવાથી આમ થયું છે.</p>
<p>2. ગ્રીનલૅંડમાં ગયા વર્શે 6 ઘન-માઈલ કદ ધરાવતો વીશાળકાય બરફનો ટુકડો તુટી પડ્યો અને એ 1 મીનીટનાં 42 ફુટને હીસાબે ધસી પડ્યો.</p>
<p>3. દુનીયાભરનાં વાતાવરણમાં છેલ્લા 3 વર્શથી અજબ-ગજબનાં રેકોર્ડ બની રહ્યાં છે.</p>
<p>4. કુદરતી જીવન ગાળતાં ઘણાં પશુ-પક્ષીની જાતીઓનું સામુહીક નીકન્દન નીકળી રહ્યું છે.</p>
<p>5. ગંગા નદી અને એવી ઘણી નદીઓ કે જેનું મુળ હીમનદી (Glacier) હોય; એવી હીમનદીઓનું કદ સતત ઘટતું જાય છે.</p>
<p>ગઈકાલે મને એક નાનકડો કીસ્સો જાણવા મળ્યો. એક ઍપાર્ટમેંટમાં રાત્રે અચાનક આગ લાગી. આપણાં કીસ્સાનો નાયક સફાળો જાગ્યો, અને તેણે બહાર કોલાહલ સામ્ભળ્યો. એક ફાયર ફાઈટર તેને ઉદ્દેશીને બહાર નીકળવા ઈશારો કરી રહ્યો હતો. નાયકે આજુબાજુ જોયું અને એક ક્ષણનો પણ વીચાર કર્યા વગર બહાર ભાગ્યો અને સલામત સ્થળે પહોંચી ગયો. 2-3 કલાકની જહેમત પછી આગ ઓલવાઈ અને નાયક ધીરેથી પોતાના ઍપાર્ટમેંટમાં પાછો ફર્યો.</p>
<p>આ કીસ્સાને થોડો ફેરબદલ કરીએ. માનો કે, નાયક તમે પોતે છો. વીશ્વભરનાં પર્યાવરણવીદો અથવા જે પરીસ્થીતીને સમજે છે એવા નીશ્ણાતો એ ફાયર ફાઈટર છે. જ્યાં આગ લાગી છે, એ ઍપાર્ટમેંટ આપણી મા-પૃથ્વી છે!!! હવે તમે શું કરશો? પેલા ફાયર ફાઈટરની વાત માનનારા તમે. આ પર્યાવરણને સમજતાં લોકોની વાત કાને ધરશો? કેટલાંય વર્શોથી આપણે આ વાત એક કાનેથી સામ્ભળીને નજર-અન્દાજ કરતાં રહ્યાં છીએ.</p>
<p>અને હવે એમ કહું કે, આ &#8216;આગ&#8217; ઠંડી પડવાને બદલે વધારે ભયાનક સ્વરુપ પકડી રહી છે, તો???</p>
<p>ભારતીયો કે દરેક સનાતનધર્મીની આસ્થાનું એક સ્થળ એટલે - ગંગા. શુધ્ધ, પવીત્ર, નીર્મળ જળરાશી. આપણો શાસ્ત્રોમાં વર્ણવેલી આગાહી મુજબ, ગંગા કળીયુગમાં એક નદી તરીકે વહેતી નહીં હોય! પર્યાવરણવાદીઓ આ આગાહીને વૈજ્ઞાનીક પધ્ધતીથી સાચી ઠેરવે છે. આશરે ઈ.સ. 2025 સુધીમાં ગંગા એક નદી તરીકેનું અસ્તીત્વ ગુમાવી ચુકી હશે. એ માત્ર નાનાં ખાબોચીયાં સ્વરુપે ઠેકઠેકાણે રહી જશે. આનું કારણ છે, ગંગાનું મુળ, ગંગોત્રી કે અલખનન્દા, જે હીમનદી છે, એનું અસ્તીત્વ જોખમાવું! આવાં હાલ તો દુનીયાભરની કેટલીય નદીના થશે.</p>
<p>વૈજ્ઞાનીકો વીશ્વવ્યાપી પુરની ઘટના ઈ.સ. 2070માં બને એવું માનતા હતાં. ધ્રુવપ્રદેશનો બરફ ઓગળવાને કારણે સમગ્ર પાણીની સપાટી 14 ફુટ જેટલી વધી જશે. ગયા વર્શનું પૃથક્કરણ એવો અંગુલીનીર્દેશ કરે છે કે, આ ઘટના 2070ને બદલે 2020નાં વર્શ સુધીમાં દેખા દેશે!!! &#8216;આગ&#8217; જોર પકડી રહી છે&#8230;</p>
<p>બરફ લગભગ 90% સુર્યપ્રકાશનું પરાવર્તન કરતો હોય છે. આ બરફનું પાણી બને ત્યારે, માત્ર 25% પ્રકાશનું પરાવર્તન થાય છે. બાકીનાં 50% એ પાણી શોશી લે છે, અને આપણાં વાતાવરણમાં ગરમીનો વધારો કરે છે.</p>
<p>મોટા બન્ધ બાન્ધવાથી બનતાં તળાવોનાં તળીયે સુક્ષ્મ લીલ અને બેક્ટેરીયાનું સંશ્લેશણ વધતું જાય છે. આ પ્રક્રીયા પુશ્કળ માત્રામાં અંગાર વાયુ (કાર્બન ડાયોક્સાઈડ) વાતાવરણમાં ઠાલવે છે.</p>
<p>ઠંડીનાં દીવસો ઘટતાં વનસ્પતીમાં ફલીનીકરણ વહેલું થતું જોવા મળ્યું છે. ઈયળો જે રુતુમાં જન્મે છે, એ રુતુમાં હવે એમને આ નવો ખોરાકી પુરવઠો મળવો શરું થયો છે. ઈયળો રહી આંકરાતીયો જીવ! એટલે, આવી ફુલ અને પાન્દડાં પર નભતી પક્ષીઓની ઘણી જાતો નાશ થવાને આરે છે.</p>
<p>આપણે હજી ગ્રીન-હાઉસ વાયુઓને વપરાશ અટકાવી દીધો નથી. ઉલટું, વસ્તીનો વધારો આ વપરાશ વધારતો જ રહ્યો છે. બહુ લામ્બાગાળાનું નુકશાન પહેલેથી જ થઈ ચુક્યું હતું, અને હજી પણ અટકવાનું નામ નથી લેતું.</p>
<p>આપણે શું કરી શકીએ? બને ત્યાં સુધી ઉર્જાના બીનપરમ્પરાગત સ્ત્રોતનો ઉપયોગ, પરમ્પરાગત ઉર્જાના સ્ત્રોતનો લઘુત્તમ અને વીવેકપુર્ણ ઉપયોગ, માનવસર્જીત પદાર્થોનો ખુબ જ વીવેકપુર્ણ ઉપયોગ, વનસ્પતીનું વાવેતર અને જાળવણી, કાગળ વગેરેનો લઘુત્તમ ઉપયોગ. આવાં ઘણાં પગલાં આપણે રોજીન્દા જીવનમાં લઈ શકીએ.</p>
<p>થોડી વીવેકબુધ્ધી આપણને માર્ગદર્શન આપશે. હવે તો જાગીશુંને???</p>
<img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/categories/parimiti.wordpress.com/66/" /> <img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/tags/parimiti.wordpress.com/66/" /> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gocomments/parimiti.wordpress.com/66/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/comments/parimiti.wordpress.com/66/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godelicious/parimiti.wordpress.com/66/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/delicious/parimiti.wordpress.com/66/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gostumble/parimiti.wordpress.com/66/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/stumble/parimiti.wordpress.com/66/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godigg/parimiti.wordpress.com/66/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/digg/parimiti.wordpress.com/66/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/goreddit/parimiti.wordpress.com/66/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/reddit/parimiti.wordpress.com/66/" /></a> <img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=parimiti.wordpress.com&blog=1321180&post=66&subd=parimiti&ref=&feed=1" /></div>]]></content:encoded>
			<wfw:commentRss>http://parimiti.wordpress.com/2008/03/04/jaago/feed/</wfw:commentRss>
	
		<media:content url="http://a.wordpress.com/avatar/veejansh-128.jpg" medium="image">
			<media:title type="html">Chirag</media:title>
		</media:content>
	</item>
		<item>
		<title>મુદ્રા</title>
		<link>http://parimiti.wordpress.com/2008/02/17/mudra/</link>
		<comments>http://parimiti.wordpress.com/2008/02/17/mudra/#comments</comments>
		<pubDate>Mon, 18 Feb 2008 03:49:27 +0000</pubDate>
		<dc:creator>Chirag</dc:creator>
		
		<category><![CDATA[વીજ્ઞાન]]></category>

		<guid isPermaLink="false">http://parimiti.wordpress.com/?p=55</guid>
		<description><![CDATA[મુદ્રા - ચીરાગ પટેલ Feb 17, 2008
1. જ્ઞાન મુદ્રા
પધ્ધતી: પહેલી આંગળીનું ટેરવું અંગુઠાના ટેરવા સાથે અડાવેલું રાખો. બાકીની આંગળીઓ સીધી રાખો.
વીશેશતા: મગજની કાર્યક્ષમતામાં વધારો કરે છે. પીચ્યુટરી અને એંડોક્રીન ગ્રંથીઓને વ્યવસ્થીત રાખે છે. એકાગ્રતા વધારે છે અને અનીદ્રાપણું દુર કરે છે. માનસીક રોગ, ઉન્માદ, ક્રોધ અને હતાશાને દુર કરે છે.
સમય: ગમે તે સમયે, ગમે તે [...]]]></description>
			<content:encoded><![CDATA[<div class='snap_preview'><br /><p><strong>મુદ્રા - ચીરાગ પટેલ Feb 17, 2008</strong></p>
<p><strong>1. જ્ઞાન મુદ્રા</strong></p>
<p><em>પધ્ધતી</em>: પહેલી આંગળીનું ટેરવું અંગુઠાના ટેરવા સાથે અડાવેલું રાખો. બાકીની આંગળીઓ સીધી રાખો.</p>
<p><em>વીશેશતા</em>: મગજની કાર્યક્ષમતામાં વધારો કરે છે. પીચ્યુટરી અને એંડોક્રીન ગ્રંથીઓને વ્યવસ્થીત રાખે છે. એકાગ્રતા વધારે છે અને અનીદ્રાપણું દુર કરે છે. માનસીક રોગ, ઉન્માદ, ક્રોધ અને હતાશાને દુર કરે છે.</p>
<p><em>સમય</em>: ગમે તે સમયે, ગમે તે સ્થીતીમાં કરી શકાય છે.<br />
<a href="http://parimiti.files.wordpress.com/2008/02/1.jpg" title="1.jpg"><img src="http://parimiti.files.wordpress.com/2008/02/1.thumbnail.jpg" alt="1.jpg" /></a><br />
<strong>2. પૃથ્વી મુદ્રા</strong></p>
<p><em>પધ્ધતી</em>: ત્રીજી આંગળીનું ટેરવું અંગુઠાના ટેરવા સાથે અડાવેલું રાખો. બાકીની આંગળીઓ સીધી રાખો.</p>
<p><em>વીશેશતા</em>: શારીરીક નબળાઈ દુર કરે છે. વજનમાં વધારો કરે છે. ત્વચાના સૌન્દર્યમાં વધારો કરે છે. શરીરને કાર્યક્ષમ રાખે છે.</p>
<p><em>સમય</em>: ગમે તે સમયે કરી શકાય છે.<br />
<a href="http://parimiti.files.wordpress.com/2008/02/2.jpg" title="2.jpg"><img src="http://parimiti.files.wordpress.com/2008/02/2.thumbnail.jpg" alt="2.jpg" /></a><br />
<strong>3. વરુણ મુદ્રા</strong></p>
<p><em>પધ્ધતી</em>: ચોથી આંગળીનું ટેરવું અંગુઠાના ટેરવા સાથે અડાવેલું રાખો. બાકીની આંગળીઓ સીધી રાખો.</p>
<p><em>વીશેશતા</em>: પાણીના અભાવે થતી બીમારીથી બચાવે છે. પેટના દર્દોમાં રાહત આપે છે. સ્નાયુના સંકોચનમાં રાહત આપે છે.<br />
<em> </em></p>
<p><em>સમય</em>: ગમે તે સમયે કરી શકાય છે.<br />
<a href="http://parimiti.files.wordpress.com/2008/02/3.jpg" title="3.jpg"><img src="http://parimiti.files.wordpress.com/2008/02/3.thumbnail.jpg" alt="3.jpg" /></a><br />
<strong>4. વાયુ મુદ્રા</strong></p>
<p><em>પધ્ધતી</em>: પહેલી આંગળીનાં ટેરવાને અંગુઠાના મુળ સાથે અડાવીને, અંગુઠાને એ આંગળી પર મુકીને દબાવો. બાકીની આંગળીઓને સીધી રાખો.</p>
<p><em>વીશેશતા</em>: વાયુના અસંતુલનથી ઉભા થતાં રોગો સામે રક્ષણ આપે છે. ર્હ્યુમેટીઝમ, આર્થ્રાઈટીસ, ગાઉટ, લકવો જેવા રોગો દુર કરે છે. સર્વાઈકલ સ્પોંડીલાઈસીસ, ચહેરાનો લકવો, ગરદનની અકડનમાં રાહત આપે છે. પેટમાં ગેસની તકલીફ દુર કરે છે.</p>
<p><em>સમય</em>: 45 મીનીટ સુધી કરવાથી 12-24 કલાકમાં ઉપર વર્ણવેલ પરીસ્થીતીમાં આરામ આપે છે. 2 મહીના સુધી નીયમીત કરવાથી, ખુબ જ ફાયદો થાય છે.<br />
<a href="http://parimiti.files.wordpress.com/2008/02/4.jpg" title="4.jpg"><img src="http://parimiti.files.wordpress.com/2008/02/4.thumbnail.jpg" alt="4.jpg" /></a><br />
<strong>5. શુન્ય મુદ્રા</strong></p>
<p><em>પધ્ધતી</em>: બીજી આંગળીને વાળીને સીધી રાખો, અને એના ઉપર અંગુઠો રાખી દબાવો. બાકીની આંગળીઓ સીધી રાખો.</p>
<p><em>વીશેશતા</em>: શરીરની નબળાઈ દુર કરે છે. કાનનો દુઃખાવો 4-5 મીનીટમાં દુર કરે છે. જન્મજાત ના હોય એવા બહેરાપણામાં અને મન્દબુધ્ધીને રાહત આપે છે.</p>
<p><em>સમય</em>: રોજ 40 થી 60 મીનીટ કરો.<br />
<a href="http://parimiti.files.wordpress.com/2008/02/5.jpg" title="5.jpg"><img src="http://parimiti.files.wordpress.com/2008/02/5.thumbnail.jpg" alt="5.jpg" /></a><br />
<strong>6. સુર્ય મુદ્રા</strong></p>
<p><em>પધ્ધતી</em>: ત્રીજી આંગળીને વાળીને સીધી રાખો, અને એના ઉપર અંગુઠો રાખી દબાવો. બાકીની આંગળીઓ સીધી રાખો.</p>
<p><em>વીશેશતા</em>: થાયરોઈડ ગ્રંથીને વ્યવસ્થીત રાખે છે. વજન ઘટાડવામાં અને કોલેસ્ટેરોલને ઘટાડવામાં ઉપયોગી છે. અધીરાઈપણું દુર કરે છે. અપચાની તકલીફને દુર કરે છે.</p>
<p><em>સમય</em>: રોજ બે વખત 5 થી 15 મીનીટ કરો.<br />
<a href="http://parimiti.files.wordpress.com/2008/02/6.jpg" title="6.jpg"><img src="http://parimiti.files.wordpress.com/2008/02/6.thumbnail.jpg" alt="6.jpg" /></a><br />
<strong>7. પ્રાણ મુદ્રા</strong></p>
<p><em>પધ્ધતી</em>: ત્રીજી અને ચોથી આંગળીનાં ટેરવા સાથે અંગુઠાનું ટેરવું અડાવેલું રાખો. બાકીની આંગળીઓ સીધી રાખો.</p>
<p><em>વીશેશતા</em>: કાર્યક્ષમતા વધારે છે. થાક અને વીટામીનના અભાવને સુધારે છે. આંખોની કાર્યક્ષમતા વધારે છે. આંખના રોગો દુર કરે છે. રોગપ્રતીકારક શક્તી વધારે છે.</p>
<p><em>સમય</em>: ગમે તે સમયે, ગમે તે સ્થીતીમાં કરી શકાય છે.<br />
<a href="http://parimiti.files.wordpress.com/2008/02/7.jpg" title="7.jpg"><img src="http://parimiti.files.wordpress.com/2008/02/7.thumbnail.jpg" alt="7.jpg" /></a><br />
<strong>8. અપાન મુદ્રા</strong></p>
<p><em>પધ્ધતી</em>: બીજી અને ત્રીજી આંગળીનાં ટેરવા સાથે અંગુઠાનું ટેરવું અડાવેલું રાખો. બાકીની આંગળીઓ સીધી રાખો.</p>
<p><em>વીશેશતા</em>: પાચકગ્રંથીઓને સતેજ રાખે છે. ડાયાબીટીસ, હરસ, બન્ધકોશમાં રાહત કરે છે. મળશુધ્ધી લાવે છે.</p>
<p><em>સમય</em>: રોજ 45 મીનીટ કરો.<br />
<a href="http://parimiti.files.wordpress.com/2008/02/8.jpg" title="8.jpg"><img src="http://parimiti.files.wordpress.com/2008/02/8.thumbnail.jpg" alt="8.jpg" /></a><br />
<strong>9. હ્રદય મુદ્રા</strong></p>
<p><em>પધ્ધતી</em>: પહેલી આંગળી વાળીને સીધી રાખો, એના પરથી બીજી અને ત્રીજી આંગળીનાં ટેરવાં અંગુઠાનાં ટેરવાને અડે એ રીતે ગોઠવો. ચોથી આંગળી સીધી રાખો.</p>
<p><em>વીશેશતા</em>: હ્ર્દયરોગમાં &#8216;સોર્બીટેલ&#8217; જેવું કામ કરે છે. શરીરમાંથી વાયુ દોશ દુર કરે છે. હ્રદયને મજબુત બનાવે છે.</p>
<p><em>સમય</em>: રોજ 15 મીનીટ બે વખત કરો.<br />
<a href="http://parimiti.files.wordpress.com/2008/02/9.jpg" title="9.jpg"><img src="http://parimiti.files.wordpress.com/2008/02/9.thumbnail.jpg" alt="9.jpg" /></a><br />
<strong>10. લીંગ મુદ્રા</strong></p>
<p><em>પધ્ધતી</em>: બન્ને હાથની આંગળીઓ એકબીજામાં ભીડાવી દો. ડાબો અંગુઠો સીધો રાખો. જમણા હાથની પહેલી આંગળી અને અંગુઠો ડાબા અંગુઠાની આજુબાજુ રહે તેમ ગોઠવો.</p>
<p><em>વીશેશતા</em>: શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે. ફેફસાને મજબુત બનાવે છે. અતીશય ઠંડી અને બ્રોંકાઈટીસ દુર કરે છે. શરીરને બળવાન બનાવે છે.</p>
<p><em>સમય</em>: ગમે ત્યારે કરી શકાય. પુરતી ગરમી ઉત્પન્ન થાય એટલે આ મુદ્રા બન્ધ કરવી.</p>
<p><a href="http://parimiti.files.wordpress.com/2008/02/10.jpg" title="10.jpg"><img src="http://parimiti.files.wordpress.com/2008/02/10.thumbnail.jpg" alt="10.jpg" /></a></p>
<img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/categories/parimiti.wordpress.com/55/" /> <img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/tags/parimiti.wordpress.com/55/" /> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gocomments/parimiti.wordpress.com/55/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/comments/parimiti.wordpress.com/55/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godelicious/parimiti.wordpress.com/55/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/delicious/parimiti.wordpress.com/55/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gostumble/parimiti.wordpress.com/55/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/stumble/parimiti.wordpress.com/55/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godigg/parimiti.wordpress.com/55/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/digg/parimiti.wordpress.com/55/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/goreddit/parimiti.wordpress.com/55/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/reddit/parimiti.wordpress.com/55/" /></a> <img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=parimiti.wordpress.com&blog=1321180&post=55&subd=parimiti&ref=&feed=1" /></div>]]></content:encoded>
			<wfw:commentRss>http://parimiti.wordpress.com/2008/02/17/mudra/feed/</wfw:commentRss>
	
		<media:content url="http://a.wordpress.com/avatar/veejansh-128.jpg" medium="image">
			<media:title type="html">Chirag</media:title>
		</media:content>

		<media:content url="http://parimiti.files.wordpress.com/2008/02/1.thumbnail.jpg" medium="image">
			<media:title type="html">1.jpg</media:title>
		</media:content>

		<media:content url="http://parimiti.files.wordpress.com/2008/02/2.thumbnail.jpg" medium="image">
			<media:title type="html">2.jpg</media:title>
		</media:content>

		<media:content url="http://parimiti.files.wordpress.com/2008/02/3.thumbnail.jpg" medium="image">
			<media:title type="html">3.jpg</media:title>
		</media:content>

		<media:content url="http://parimiti.files.wordpress.com/2008/02/4.thumbnail.jpg" medium="image">
			<media:title type="html">4.jpg</media:title>
		</media:content>

		<media:content url="http://parimiti.files.wordpress.com/2008/02/5.thumbnail.jpg" medium="image">
			<media:title type="html">5.jpg</media:title>
		</media:content>

		<media:content url="http://parimiti.files.wordpress.com/2008/02/6.thumbnail.jpg" medium="image">
			<media:title type="html">6.jpg</media:title>
		</media:content>

		<media:content url="http://parimiti.files.wordpress.com/2008/02/7.thumbnail.jpg" medium="image">
			<media:title type="html">7.jpg</media:title>
		</media:content>

		<media:content url="http://parimiti.files.wordpress.com/2008/02/8.thumbnail.jpg" medium="image">
			<media:title type="html">8.jpg</media:title>
		</media:content>

		<media:content url="http://parimiti.files.wordpress.com/2008/02/9.thumbnail.jpg" medium="image">
			<media:title type="html">9.jpg</media:title>
		</media:content>

		<media:content url="http://parimiti.files.wordpress.com/2008/02/10.thumbnail.jpg" medium="image">
			<media:title type="html">10.jpg</media:title>
		</media:content>
	</item>
		<item>
		<title>શક્તીદાયી વીચાર 3</title>
		<link>http://parimiti.wordpress.com/2008/02/02/1/</link>
		<comments>http://parimiti.wordpress.com/2008/02/02/1/#comments</comments>
		<pubDate>Sat, 02 Feb 2008 19:55:21 +0000</pubDate>
		<dc:creator>Chirag</dc:creator>
		
		<category><![CDATA[ધર્મ]]></category>

		<category><![CDATA[સ્વામી વિવેકાનંદ]]></category>

		<guid isPermaLink="false">http://parimiti.wordpress.com/2008/02/02/1/</guid>
		<description><![CDATA[શક્તીદાયી વીચાર 3 - સ્વામી વીવેકાનન્દ
21. તમારા સ્નાયુઓને મજબુત બનાવો. આપણને જરુર છે લોખંડી માંસપેશીઓની અને પોલાદી સ્નાયુઓની, આપણે બહુ કાળ સુધી રોતા રહ્યા છીએ, હવે વધુ રડવાની જરુર નથી. તમારા પોતાના પગ પર ઉભા રહો; મર્દ બનો.
22. સૌથી પહેલી વસ્તુ એ છે કે આપણા યુવાનોએ બળવાન બનવું પડશે. ધર્મ તો પોતાની મેળે પાછળથી આવશે. [...]]]></description>
			<content:encoded><![CDATA[<div class='snap_preview'><br /><p><strong>શક્તીદાયી વીચાર 3 - સ્વામી વીવેકાનન્દ</strong></p>
<p>21. તમારા સ્નાયુઓને મજબુત બનાવો. આપણને જરુર છે લોખંડી માંસપેશીઓની અને પોલાદી સ્નાયુઓની, આપણે બહુ કાળ સુધી રોતા રહ્યા છીએ, હવે વધુ રડવાની જરુર નથી. તમારા પોતાના પગ પર ઉભા રહો; મર્દ બનો.</p>
<p>22. સૌથી પહેલી વસ્તુ એ છે કે આપણા યુવાનોએ બળવાન બનવું પડશે. ધર્મ તો પોતાની મેળે પાછળથી આવશે. મારા નવયુવાન મીત્રો! બળવાન બનો; તમને મારી આ સલાહ છે. ગીતાના અભ્યાસ કરતાં ફુટબોલની રમત દ્વારા તમે સ્વર્ગની વધુ નજીક પહોંચી શકશો. આ શબ્દો તમને આકરા લાગશે પરંતુ મારે તમને કહેવા જોઈએ, કારણ કે તમે મને પ્રીય છો. મુશ્કેલી ક્યાં છે એ હું જાણું છું, મને થોડો અનુભવ મળ્યો છે ખરો. તમારાં બેવડાં, તમારા સ્નાયુઓ સહેજ મજબુત હશે, તો ગીતાને વધુ સારી રીતે સમજી શકશો. તમારી નસોમાં સહેજ વધુ શક્તીશાળી રક્ત વહેતું હશે તો તમે શ્રીકૃષ્ણની વીરાટ પ્રતીભાને અને પ્રચંડ શક્તીને વધુ સારી રીતે પીછાની શકશો. જ્યારે 