સરદાર પટેલના પ્રેરક પ્રસંગો 3
(‘સરદાર’ મુવીમાંથી લીધેલ અંશો)
======== * 1 * ========
ભારતનાં ભાગલા વીશે કારોબારીમાં ચર્ચા ચાલી રહી છે. મહંમદઅલી ઝીણા સુચવે છે કે, ભાગલા પછી દેશનાં નામ હીંદુસ્તાન – પાકીસ્તાન રાખવાં જોઈએ. સરદાર સાફ ના પાડતા કહે છે કે, એક દેશનો નાનો ટુકડો અલગ થઈ રહ્યો છે. મુસ્લીમ લીગ પોતાના ટુકડાનું જે નામ રાખવા ચાહે તે રાખી શકે છે. આ દેશનું નામ ઈંડીયા છે અને ઈંડીયા જ રહેશે. (જે લોકો ભારતને હીંદુસ્તાન તરીકે ઓળખાવે છે તે લોકો ઝીણાની વીચારસરણીને અનુસરી રહ્યાં છે?)
======== * 2 * ========
ભાગલા બાબતે ચર્ચા આગળ ચાલે છે. ઝીણા દરેક પ્રયોગશાળા, સરકારી સંસ્થાઓનાં બે ભાગ કરવા માંગે છે. સરદાર કહે છે, કોઈ સંસ્થાના બે ભાગ કરીએ તો એ ચાલી કેમ શકે? મહંમદઅલી ચૌધરી (જે મુસ્લીમ લીગ તરફથી ICS અફસર તરીકે બધી સરકારી બાબતોનાં સલાહકાર હતાં) કહે છે કે, એક નવો દેશ આ બધું ધરાવ્યાં વગર પ્રગતી કેમ કરી શકે? સરદાર કહે છે કે, ઠીક છે, જ્યાં સુધી તમે આ બધી સુવીધા ઉભી ના કરી શકો ત્યાં સુધી ભારત તમારી જરુરીયાતો પુરી પાડશે.
ત્યારબાદ, ઝીણા 200કરોડ રુપીયાનાં બે ભાગ કરવાનું સુચવે છે. સરદાર કહે છે, નાણાંનાં ભાગલા બન્ને દેશના ક્ષેત્રફળ અને વસ્તી મુજબ કરવામાં આવશે. તે મુજબ, ભારત તમને અત્યારે 20કરોડ અને સ્વતંત્રતા બાદ 55કરોડ આપશે. હવે, ભારત સરકારનું જે દેવું છે તેનાં ભાગ કરીએ. ઝીણા દેવું લેવાનો ઇનકાર કરી દે છે. સરદાર કહે છે કે, કદી ગોટલી વગરની કેરી મળી શકે ખરી? દેવામાં પણ તમારે તમારો હીસ્સો તો લેવો જ પડશે.
એ સાંજે, સરદારના ઘરે એચ.એમ. પટેલ (જે કોંગ્રેસ તરફથી સરકારી બાબતોનાં સલાહકાર હતાં) એવું જણાવે છે કે, સરદાર, ભારત સરકારનાં જે લેણદારો છે એમાંનાં મોટાભાગનાં ભારતની સરહદમાં વસે છો. હવે જો પાકીસ્તાનના ભાગનું દેવું ચુકતે કરવું હોય તો અગવડ તો આપણાં દેશનાં લોકોને જ પડશે ને? આખું વીશ્વ અત્યારે ભારતનાં ભગલાંની દરેક કાર્યવાહી પર નજર રાખી રહ્યું છે. શું આપણે થોડી ઉદારતા ના દાખવી શકીએ? સરદાર તોડ કાઢે છે કે, તો એવું કરીએ કે બધું દેવું ભારત સરકારને માથે રહેશે, અને જે પાકીસ્તાનનો હીસ્સો છે તે પાકીસ્તાને ભારત સરકારને પુરો કરી આપવાનો. પછી, સરદાર એકાએક વીચારે ચઢી જાય છે અને એચ.એમ.ને કહે છે, હીમ્મતભાઈ, હું જ્યારે જ્યારે વીચારું છું કે ભાવી પેઢી આપણાં વીશે શું કહેશે ત્યારે મારી ઉંઘ ઉડી જાય છે. ભવીષ્યનાં લોકોને ક્યાંથી ખબર પડશે કે આ સ્થીતીમાં આ જ યોગ્ય હતું અને આપણે અણીશુધ્ધ પ્રામાણીક્તાથી જ કાર્ય કર્યું છે. એ લોકો તો એમ જ કહેવાના કે તમારી પરીસ્થીતી અને પ્રામાણીક્તા પર કેરોસીન છાંટો. તમે અમને શું આપ્યું?
======== * 3 * ========
15ઓગસ્ટ પછી 565 રાજ્યો આઝાદ થઈ જવાનાં હતાં. એટલે, સરદાર મુખ્ય મુખ્ય રાજાઓની એક બેઠક યોજે છે. સરદાર એમને જણાવે છે કે, અમારી જવાબદારી માત્ર 15 ઓગસ્ટ સુધીની જ છે. (વચગાળાની સરકારની) એટલે એક મહારાજા સરદારને પુછે છે કે, શું તમે અમને ધમકી આપી રહ્યાં છો? સરદારનો જવાબ, હું ધમકી નથી આપી રહ્યો. તમને માત્ર જણાવી રહ્યો છું. પછી અમારો દોષ ના કાઢતાં.
======== * 4 * ========
નેહરુ ભાગલા વીશે પુરેપુરા સંમત નથી હોતાં. તેઓ પણ ગાંધીજીની ‘પુર્ણ સ્વરાજ્ય’ની માંગ વીશે જ વીચારે છે. સરદાર નેહરુને સમજાવે છે કે, આખા દેશને ખતરામાં નાંખવા કરતાં, ભલે એક નાનો ટુકડો અલગ થતો. આપણે આપણાં દેશનાં બાકીના ભાગને તો આપણી રીતે સજાવી શકીશું, બનાવી શકીશું. નેહરુ પોતાની ચીંતા જણાવે છે કે, બાપુ શું કહેશે? સરદાર કહે છે, બાપુ તો ના જ પાડશે. જવાહર, દીલ ખાટું ના કરીશ. અમુક નીર્ણયો બાબતે ભવીષ્ય જ નક્કી કરશે કે તે સાચાં હતાં કે ખોટાં.
======== * 5 * ========
કોંગ્રેસની કારોબારીમાં ગાંધીજી મૌલાના આઝાદને કહે છે કે, તમે કોંગ્રેસ પ્રમુખની જવાબદારી 7 વર્ષથી બહુ સરસ રીતે જાળવી છે. પરંતું, હું ઈચ્છું છું કે હવે કોઈ બીજો પ્રમુખ બને. અને એ પ્રમુખ સ્વતંત્ર ભારતનો પ્રથમ વડાપ્રધાન બનશે. બધી જ પ્રદેશ કોંગ્રેસ સમીતીઓએ સરદારનું નામ સુચવ્યું છે. કૃપલાણીએ પોતાનું નામ જવાહરની તરફેણમાં પાછું ખેંચી લીધું છે. હું ઈચ્છું છું કે નીર્ણય એકમતે થાય. જવાહર, હું તમને પુછું છું. કોઈ પણ સમીતીએ તમારું નામ નથી સુચવ્યું. જવાબમાં જવાહર મૌન જાળવે છે. એટલે ગાંધીબાપુ કાગળમાં કાંઈક લખીને સરદારને આપે છે. સરદાર એ વાંચીને ખીસ્સામાં મુકી દે છે, અને જાહેર કરે છે કે, હું મારું નામ પાછું લઉં છું. જવાહરનાં ચહેરા પર સુચક સ્મીત ફરી વળે છે.
======== * 6 * ========
ભગલાની બધી બાબતો ચર્ચાઈ રહી છે. સરદાર એકાએક કહે છે કે, આમને આમ તો 15 ઓગસ્ટ આવશે તો પણ કામ પુરું નહીં થાય. મને ભાઈ મહંમદઅલી ચૌધરી અને એચ.એમ.પટેલ પર પુરેપુરો ભરોસો છે. બન્ને ઘણાં કાબેલ અફસરો છે. બધં આ વાત સ્વીકારી લે છે. એટલે સરદાર એચ.એમ. અને ચૌધરીને એક બંધ ઓરડામાં બેસીને બધાં કામનો નીકાલ પરસ્પર સહમતીથી લાવવાં કહે છે. આમ, ભાગલાંનું 50%થી વધુ કામ આ બે અફસરોએ પુરું કર્યું હતું.
6 comments
Comments feed for this article
સપ્ટેમ્બર 17, 2007 at 6:17 એ એમ (am)
સુરેશ જાની
વાંચવાની બહુ જ મજા આવી.
સપ્ટેમ્બર 17, 2007 at 11:19 એ એમ (am)
pravinash1
આપણા દેશની કમનસીબી કે સરદાર વલ્લભભાઈ પટેલ આઝાદ
ભારતના સહુ પ્રથમ વડાપ્રધાન ન થયા.
સપ્ટેમ્બર 21, 2007 at 8:15 પી એમ(pm)
Harish Dave
By all means, a classic story. More than that a classic movie one must see ….
…. Harish Dave Ahmedabad
નવેમ્બર 19, 2007 at 11:48 એ એમ (am)
SAMIR PATEL
GOOD JIJU
INTERESTING
નવેમ્બર 27, 2007 at 4:28 એ એમ (am)
Jaysukh Parmar
.
very very interesting
your experience is mile stone for otherone.
God bless you.
સપ્ટેમ્બર 3, 2009 at 11:54 પી એમ(pm)
Dhaval Patel - 93748 23748
I Love Sardar Patel
We Proud Of Sardar Vallabha Bhai Patel……..
I Miss Him Always……..